બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શામળાજીથી લઈ ખોડલધામ સુધી, રાજ્યભરના મંદિરોમાં ઉજવાયો સ્વતંત્રતા દિવસ, જુઓ Videos

VIDEO / શામળાજીથી લઈ ખોડલધામ સુધી, રાજ્યભરના મંદિરોમાં ઉજવાયો સ્વતંત્રતા દિવસ, જુઓ Videos

Published By: Vishal Khamar

Last Updated: 08:56 PM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

80 માં સ્વાયંત્ર્ય પર્વની સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે પણ ભગવાનને અવનવા ત્રિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો.

યાત્રાધામ શામળાજી દેશભક્તિના રંગે રંગાયું

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તિમય વાતાવરણ સાથે દેશભક્તિનો રંગ જોવા મળ્યો. ભગવાન શામળીયાને વિશેષ ત્રિરંગા રંગના વસ્ત્રો અને શણગારથી સજાવવામાં આવ્યા હતા. ત્રિરંગાના રંગોમાં સજ્જ શામળીયાના દિવ્ય સ્વરૂપના દર્શન માટે દૂર-દૂરથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં દેશભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર શામળાજી ધામ ત્રિરંગાના રંગમાં રંગાયેલું નજરે પડ્યું.

પાવાગઢ ખાતે ધુમ્મસ ભર્યા વાતાવરણમાં તિરંગો લહેરાવ્યો

યાત્રાધામ પાવાગઢ 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. ધૂમ્મસભર્યા વાતાવરણમાં મંદિરના ટ્રસ્ટીઓએ મંદિર પરિસરમાં તિરંગો લહેરાવ્યો.માઈ ભક્તો, મંદિરના ટ્રસ્ટી અને કર્મચારીઓએ રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી.

સોમનાથ મહાદેવ મંદિરને રાષ્ટ્રધ્વજ તિરંગાથી વિશેષ શણગાર કરાયો

80મા સ્વતંત્રતા પર્વ પર દેશભક્તિના રંગે રંગાયુ સોમનાથ મંદિર. સ્વતંત્રતા પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરને રાષ્ટ્રધ્વજ તિરંગાથી વિશેષ શણગારથી સજ્જ કરવામાં આવ્યું. મહાદેવના મહાદેવના અનોખા શણગારમાં તિરંગાની વચ્ચે 'ૐ'નું વિશેષ પ્રતીક જોવા મળ્યું. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના દર્શન કરવા માટે સોમનાથ મંદિરે ઉમટ્યા..તો સંધ્યા આરતીમાં પણ ભગવાનને રાષ્ટ્રધ્વજનો શણગાર કરવામાં આવશે.

ગોપીનાથજી મંદિરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલા પવિત્ર ગોપીનાથજી મંદિરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગોપીનાથજી ભગવાનને તિરંગાની થીમ આધારિત વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો, જેને નિહાળવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે 51 હજાર તુલસીપત્રથી ગોપીનાથજી ભગવાનની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી. મંદિર પરિસરમાં દેશભક્તિ અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ભક્તોએ ગોપીનાથજી ભગવાનના દિવ્ય તિરંગા શણગારના દર્શન કરી દેશના સ્વાતંત્ર્ય પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી.

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પણ દેશભક્તિના રંગે રંગાયું

આજે 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે બોટાદનું સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પણ દેશભક્તિના રંગે રંગાયું.કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં પણ સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ખાસ કરીને હનુમાનજી દાદાને તિરંગાની થીમ પર દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો. દાદાની મૂર્તિને ફ્રુટના તિરંગાનો અદભુત શણગાર કરાતા ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી. સમગ્ર મંદિર પરિસર ભારત માતા કી જયના ઘોષથી ગુંજી ઉઠ્યુ હતુ.

આ પણ વાંચોઃ નેપાળી મહિલાઓની ગેંગ ઝડપાઈ, ઘરકામ માટે રાખતા પહેલાં ચેતી જજો, આવી રીતે કરતી ચોરી

ખોડલધામ મંદિરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ ખોડલધામ મંદિરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. ખોડલધામ સ્ટાફ દ્વારા મંદિર પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. ખોડલધામ મંદિર પરિસરમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્વતંત્રતા પર્વ નિમિતે રાજકોટ ખોડલધામ મંદિર દેશભક્તિના રંગમાં રંગાયું હતું.. રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો નજારો ડ્રોન કેમેરામાં પણ કેદ કરવામાં આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Independence Day Gujarat Shamlaji Tricolor Decoration Shamlaji Temple

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ