બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Bijal Vyas
Last Updated: 11:05 PM, 17 May 2023
Night Mantra for Better Sleep: મનુષ્યનું મગજ હંમેશા કામ કર્યા કરે છે એટલે કે કંઇને કંઇ વિચાર્યા જ કરે છે, જો કે તે જરુરી પણ છે. પરંતુ વધુ પડતુ વિચારવુ બસ વિચારતા જ રહેવુ માનસિક તણાવનું કારણ બની શકે છે.
જેમ કે ઘોડાનું દોડવુ સામાન્ય છે પરંતુ સતત બસ દોડ્યા જ કરવુ સામાન્ય નથી. ઠીક તે જ રીતે આપણે આરામ કરીએ અથવા રાતે સુવાની તૈયારી કરી રહ્યા છો તો આપણા મગજને શાંતિની જરુરીયાત હોય છે. પરંતુ ઘણા લોકો સાથે આમ નથી થતું.
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું જીવન તણાવમુક્ત રહે અને આ માટે તે ઘણા પ્રયત્નો કરે છે. પરંતુ આવું થતું નથી અને તેની અસર તમારી ઊંઘ પર પડે છે. ઊંઘ ન આવવાને કારણે બીજી ઘણી સમસ્યાઓ પણ ઉભી થાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારું મન શા માટે શાંત નથી રહેતું. આનું કારણ અને ઉકેલ શું છે. તેના વિશે વિગતવાર જાણો.
કેમ અશાંત રહે છે મગજ, જાણો જ્યોતિષી કારણ
તણાવએ મનની એક સ્થિતિ છે, જે આહાર, વિચારો, વ્યવહાર અને સંસ્કાર પર આધારિત છે. વિવિધ પરિસ્થિતિઓમાં તણાવના કારણો અલગ અલગ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ નાણાકીય કટોકટી વિશે ચિંતા સતાવે છે, કોઈ વ્યવસાયને લઇ તણાવ રહે છે, અને કોઈ સ્વાસ્થ્યને લઇ પરેશાન છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર તણાવનો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે છે. જ્યારે કુંડળીમાં ચંદ્ર એકલો હોય છે, ત્યારે તે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે અને તેના કારણે વ્યક્તિનું મન અસ્વસ્થ રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં તણાવ દૂર કરવા માટે મંત્રોને અસરકારક માનવામાં આવ્યા છે. મંત્રોમાં નકારાત્મક શક્તિઓ અને ગ્રહ દોષોને દૂર કરવાની શક્તિ હોય છે. રાત્રે સૂતા પહેલા આ મંત્રોના જાપ કરવાથી તણાવ, વિચારો, ડર વગેરે દૂર થાય છે અને સારી ઊંઘ આવે છે.
1. ‘हर हर मुकुन्दे’શત્રુ બાધાથી મુક્તિ મેળવવા માટે રાત્રે સુતા પહેલા આ મંત્રનો જાપ કરવાથી મગજ શાંત રહે છે અને માનસિક તણાવ દૂર રહે છે.
2. ‘अच्युतं केशवं विष्णुं हरिं सोमं जनार्दनम्। हसं नारायणं कृष्णं जपते दु:स्वप्रशान्तये’આ મંત્રના જાપથી માનસિક અને શારીરિક પીડા દૂર હોય છે. રોજ રાત્રે સુતા પહેલા આ મંત્રનો જાપ કરીને સુઇ જાઓ. આમ કરવાથી શાંતિની ઊંઘ મળશે.
3. ‘ऊं सा ता ना मा’જો તણાવના કારણ તમને ઊંઘ નથી આવતી તો તમે રાત્રે ઝબકીને ઊઠી જાઓ છો તો તે માટે સુતા પહેલા આ મંત્રનો જાપ કરો. આ મંત્રથી મગજની નશોને આરામ મળે છે.
4.‘ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्’ખરાબ સ્વપ્નના પ્રભાવના કારણે ઊંઘમાં પરેશાની સમસ્યા છે તો ગાયત્રી મંત્રના જાપથી દૂર થાય છે. તેથી સુતા પહેલા હાથ-પગ ધોઇને જાપ કરો.
5.‘अंग संग वाहेगुरु’સુતા પહેલા આ મંત્રનો ઉચ્ચાર કરતા પહેલા ડર ખતમ થાય છે અને માનસિક શાંતિ મળે છે.
6.‘अच्युतानन्त गोविन्द नामोच्चारणभेषजात्। नश्यन्ति सकला: रोगा: सत्यं सत्यं वदाम्यहम्।।’આ મંત્રના જાપથી અનિદ્રાની સમસ્યા દૂર હોય છે અને રાતમાં શાંતિની ઊંઘ આવે છે અને સ્વાસ્થ્ય સારુ રહે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime