મુંબઈથી અમદાવાદ જતી ગુજરાત ટ્રેનમાં પાસધારકો દ્વારા ચાલુ ટ્રેનમાં સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વર્ષ દરમિયાન અનેક કલાકો ટ્રેનમાં વિતાવનાર પાસધારકો માટે ટ્રેન એક બીજું ઘર માનવમાં આવે છે. ત્યારે ટ્રેનના મુસાફરોને ટ્રેન અકસ્માતનો ભય હંમેશા સતાવતો હોય છે એવામાં ભગવાનને ભજીને મુસાફરોએ સલામત મુસાફરીની માટેની પ્રાથના કરી હતી.
પવિત્ર શ્રાવણ માસમાં સત્ય નારાયણની કથાનું આગવું મહત્વ હોય છે. જેથી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનના પાસ ધારકોએ કથાનું આયોજન કરી ટ્રેનમાં ભક્તિ સભર માહોલ ઉભો કર્યો હતો. આ ટ્રેન સવારે 8:45એ વાપી આવી પહુંચી હતી. ત્યારે વાપીના મુસાફરોએ પણ ભગવાનના દર્શન અને આરતીનો લાભ લીધો હતો. છેલ્લા 19 વર્ષથી આ મુસાફરો શ્રાવણ માસમાં કથા કરી અન્ય મુસાફરોને પણ ભક્તિનો લ્હાવો પૂરો પાડે છે.