ખેડા જીલ્લાના ગળતેશ્વર તાલુકામાં આવેલા ફતેહપુરા ગામને કોલેરા ગ્રસ્ત જાહેર ગામ કરાયું છે. આ વાતની જાહેરાત કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને કરી હતી. આ ગામમાં 400થી વધુ લોકોને ઝાડા ઉલટીની અસર જોવા મળી રહી છે.
રોગચાળાને લઈને આજુબાજુના ગામામાં પણ ભયનો મહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રોગચાળાના કારણે ગામમાં બે લોકોના મોત થયા હતા. જેથી રોગચાળાને વધુ અટકતો રોકવા માટે તંત્ર હાલ સતર્ક થઈ ગયું છે. કલેક્ટરે જણાવ્યું હતું કે ગામનું જાહેર નામુ એક મહિના સુધી રહેશે.