પુરાણો અનુસાર સુર્યાસ્ત પછી કેટલાક એવા કાર્યો છે જેને કરવાથી તન મન અને ધન પર અશુભ પ્રભાવ પડે છે. એવી માન્યતા છે કે જે ઘરોમાં આ કાર્યો કરવામાં આવે ત્યાં દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે. ઘર અને પરિવારના દરેક સદસ્યોને કાર્યોમાં અસફળતા પ્રાપ્ત થાય છે કાર્યોમાં પણ વિધ્નો આવે છે અને સ્વાસ્થ્ય સંબંઘી સમસ્યાઓ થઈ શકે છે.
નીચે મુજબના આ પાંચ કાર્યો સાંજના સમયે ક્યારેય ન કરવાઃ
- સાંજના સમયે ઘરમાં કચરો ન વાળવો જોઈએ. આમ કરવાથી ઘરની લક્ષ્મી ઘરની બહાર જતી રહે છે.
- તમારા ક્રોઘ પર કાબૂ રાખો ઘરમાં કોઈ પણ પ્રકારનો કંકાસ ન રાખવો જોઈએ. જે ઘરમાં પ્રેમ અને સમભાવ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે.
- સાંજના સમયે તુલસીને જળ ન ચઢાવવું જોઈએ કે તેને સ્પર્શ ન કરવો જોઈએ.
- શાસ્ત્રોમાં મહિલાઓને ઘરની લક્ષ્મી કહેવામાં આવી છે. જે ઘરમાં મહિલાઓનું સમ્માન નથી તે ઘરથી લક્ષ્મી પણ નારાજ થઈ જાય છે અને તે ઘરમાં ઘન અને લક્ષ્મીનો વાસ થતો નથી.
- સાંજના સમયે સૂવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને ઘરમાં ગરીબાઈને નિમંત્રણ આપે છે.