બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાબરકાંઠાવાસીઓ માટે આનંદના સમાચાર, ખેડબ્રહ્માથી અંબાજી માટે નવી રેલવે લાઈનને મંજૂરી
Last Updated: 12:10 AM, 12 July 2025
સાબરકાંઠા જિલ્લાવાસીઓ માટે આનંદના સમાચાર છે. ખેડબ્રહ્મા-હડાદ-અંબાજી રેલવે લાઇનને લઇને લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ કરેલા પ્રયાસ રંગ લાવ્યા છે. ખેડબ્રહ્મા નાના અંબાજીથી મોટા અંબાજી સુધીની રેલવે લાઇન માટે રૂપિયા1.15 કરોડ મંજુર થયા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત લગભગ 46 કિલોમીટરનો રેલવે ટ્રેક તૈયાર થશે. 46 કિલોમીટરના આ રેલવે ટ્રેકથી ઉત્તર ગુજરાતને મોટો ફાયદો થશે.
ADVERTISEMENT
શોભનાબેન બારૈયાએ રેલેવ મંત્રી અશ્વીની વૈષ્ણવ સમક્ષ રજુઆત કરી હતી. આ રજુઆતના પગલે કેન્દ્ર સરકારે ફાઇલ લોકેશન સર્વે અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ માટે 1.15 કરોડ રૂપિયા મંજુર કર્યા છે.
હવે રેલેવે લાઇનના નક્શા અને સ્થળ સ્થિતિનો સર્વે કરવામાં આવશે. નવો DPR તૈયાર કરવામાં આવશે. અને વિગતવાર ખર્ચનો અહેવાલ તૈયાર કરી રેલવે વિભાગને મોકલી આપવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ તો હું MLA પદેથી રાજીનામું...' ગોપાલ ઈટાલિયા સામે વધુ એક ધારાસભ્યએ બાંયો ચઢાવી
આ રેલવે લાઇનથી સાબરકાંઠા અને અરવલ્લીના મુસાફરોને તો લાભ થશેજ સાથે દિલ્હી અને આબુરોડ તરફ જતા મુસાફરોને પણ લાભ થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.