ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / થોડી તો શરમ કરો! નેપાળ પૂરમાં મહિલાના મૃતદેહમાંથી સોનાના ઘરેણાં લૂંટતા લોકો નજરે પડ્યાં
Last Updated: 12:10 PM, 28 August 2026
ADVERTISEMENT
નેપાળમાં ભીષણ પૂરની વચ્ચે માનવતાને શર્મસાર કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક લોકો પૂરથી મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહમાંથી સોનાની બુટ્ટીઓ કાઢતા નજરે પડ્યા છે.વીડિયો વાયરલ થયા બાદ નેપાળ પોલીસ એક્શનમાં આવી હતી અને મૃતદેહમાંથી ઘરેણાં ચોરવાના આરોપમાં કેટલાક લોકોને ઝડપી લીધા છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે નેપાળ અને તિબેટમાં આવેલા વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે.
ADVERTISEMENT
વાયરલ થઈ રહેલો વીડિયો લગભગ 41 સેકન્ડનો હોવાનું સામે આવ્યું છે. તેમાં બે લોકો એક મહિલાના મૃતદેહને લાકડાના પાટિયાની મદદથી ખેંચીને લઈ જતા જોવા મળે છે. ત્યારબાદ તેઓ મહિલાના બંને કાનમાંથી સોનાની બુટ્ટીઓ કાઢતા નજરે પડે છે.આ સમગ્ર ઘટના દરમિયાન આસપાસ કેટલાક લોકો પણ ઉભા હોવાનું વીડિયોમાં દેખાય છે. કેટલાક લોકો પોતાના મોબાઇલ ફોનથી આ ઘટનાનો વીડિયો પણ બનાવી રહ્યા હતા. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘટનાની આકરી નિંદા કરી હતી.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વીડિયો ઝડપથી વાયરલ થયા બાદ નેપાળ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે મૃતદેહમાંથી ઘરેણાં ચોરવાના આરોપમાં સંડોવાયેલા લોકોને ઝડપી લીધા છે.નેપાળ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ કાર્યવાહી અંગે માહિતી આપી હતી. પોલીસે વાયરલ વીડિયોના કેટલાક ભાગ પણ શેર કર્યા હતા. આરોપીઓ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવાયું છે.
ADVERTISEMENT
मृतकको कानको मुन्द्रा चोरी गर्ने व्यक्तिहरु नियन्त्रणमा लिएको सम्बन्धमा । pic.twitter.com/pnPlnQPn9j
— Nepal Police (@NepalPoliceHQ) August 27, 2026
ADVERTISEMENT
નેપાળ અને તિબેટમાં આવેલા ભીષણ પૂરે ભારે તબાહી મચાવી છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ અને પુલોને નુકસાન થયું છે. પૂર અને કાટમાળના કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી પડી રહી છે.આવી ગંભીર સ્થિતિ વચ્ચે મહિલાના મૃતદેહમાંથી ઘરેણાં ચોરવાની ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આપત્તિના સમયે મૃતકો સાથે પણ આ પ્રકારનું અમાનવીય વર્તન થતાં માનવતા સામે સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT
આ વિનાશક પૂર બાદ અત્યાર સુધીમાં લગભગ 400 લોકોના મોત થયા હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. જ્યારે નેપાળ અને તિબેટની સરહદ નજીકના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો હજુ પણ લાપતા હોવાની માહિતી સામે આવી છે.પૂરના કારણે અનેક લોકો ફસાયા છે. રસ્તાઓ તૂટી જવાથી અને પુલો ધોવાઈ જવાથી રાહત અને બચાવ ટીમોને અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ હિમાલયના હિમનદી તળાવો બન્યા ખતરો, બિહાર-યુપી-ઉત્તરાખંડમાં GLOFનું જોખમ
પૂરની આફતમાં કેટલાક ભારતીય નાગરિકો પણ ફસાયા હોવાની માહિતી સામે આવી છે. ભારત સરકાર લાપતા થયેલા પોતાના નાગરિકોની શોધખોળ કરી રહી છે.અસરગ્રસ્ત વિસ્તારોમાં ચારે તરફ કાદવ અને કાટમાળ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન નવી બનેલી એક ઝીલમાં પાણીનું સ્તર પણ ઝડપથી વધી રહ્યું હોવાથી સ્થાનિક પ્રશાસન તેની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વધુ નુકસાન ન થાય તે માટે બચાવ અને રાહત કામગીરી સતત ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો