બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / neetu Kapoor in koffee with karan season 8 talked about alia and ranbir relationship
Vaidehi
Last Updated: 06:30 PM, 12 January 2024
કૉફી વીથ કરણની 8મી સીઝનનાં લેટેસ્ટ એપિસોડમાં નીતૂ કપૂર આવી હતી. વાતચીત દરમિયાન એક્ટ્રેસ નીતૂએ અનેક ખુલાસાઓ કર્યાં. એવા અનેક મુદાઓ પર ચર્ચા કરી જે જાણીને દર્શકો ચોંકી ઊઠ્યાં. આલિયા-રણબીરનાં સંબંધ પર તેમજ રાહા કપૂર સાથે તેમના મીઠાં અનુભવો તેમણે શૉ પર શેર કર્યાં.
રણબીર-આલિયાનાં સંબંધ પર નીતૂ કપૂર
સોશિયલ મીડિયા પર સતત રણબીર કપૂરનાં આલિયા ભટ્ટ સાથેનાં વ્યવહારને ટ્રોલ કરવામાં આવતું હોય છે. આ અંગે જ્યારે નીતૂને પૂછવામાં આવ્યું કે તેઓ કપલને મેરિડલાઈફ માટે શું સલાહ આપવા માંગે છે..ત્યારે નીતૂ કપૂરે કહ્યું કે- કંઈ જ નહીં કારણકે આજની તારીખ અને ઉંમરમાં જેને જે યોગ્ય લાગે તે તેવું કરો. બસ ખુશ રહો! તેમણે કહ્યું કે "દરેક જનરેશન અલગ હોય છે. આપણે જે સમયમાંથી પસાર થયાં છીએ, તેઓ પણ એવું જ કરે એવી આશા રાખી શકાય નહીં. તેમને ખબર છે કે શું કરવાનું છે.."
રાહા-દાદીનો સંબંધ
શૉ દરમિયાન નીતૂ કપૂરે રાહા સાથેનાં મીઠડાં અનુભવો શેર કર્યાં. નીતૂએ કહ્યું કે એક દિવસ હું ઘરે ગઈ અને આલિયાએ કહ્યું કે રાહા 'મમ્મા' બોલી. ત્યારે મેં કહ્યું કે "તેણે મમ્મા નહીં પણ મમ-મમ કહ્યું છે તેથી ખુશ ન થા.. "
"આલિયાની માતા સાથે મારી દલીલ થાય છે"
વાતચીત દરમિયાન નીતૂ કપૂરે રાહાની નાની સોની રાઝદાન સાથે થયેલી પ્રેમભરી ખટપટ વિશે વાત કરતાં કહ્યું કે," મારા ઘરે બાળક ઊછરી રહ્યું છે. હું હંમેશા રાહાને 'પપ્પા' બોલવા માટે મદદ કરતી રહું છું. પણ સોની રાહાને 'મમ્મા' બોલવા માટે કહેતી હોય છે." ત્યારે કરણે કહ્યું કે " એટલે કે તમારા વચ્ચે નાની ખટપટ થાય છે..."
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ