બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / બગદાણા વિવાદના પીડિત નવનીત બાલધીયા જોડાયા કોંગ્રેસમાં જોડાયા, કોળી આગેવાનો પણ પાર્ટીમાં

BIG NEWS / બગદાણા વિવાદના પીડિત નવનીત બાલધીયા જોડાયા કોંગ્રેસમાં જોડાયા, કોળી આગેવાનો પણ પાર્ટીમાં

Vishal Khamar

Last Updated: 06:28 PM, 3 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જોડતોડની રાજનીતિ શરૂ થઈ જવા પામી છે. બગદાણા વિવાદના પીડિત નવનીત બાલધીયા કોંગ્રેસમાં જોડાતા હડકંપ મચી જવા પામ્યો હતો.

ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ચકચાર મચાવતી ઘટના સામે આવી છે, જેમાં બગદાણા વિવાદના પીડિત તરીકે ચર્ચામાં આવેલા નવનીત બાલધિયાએ અચાનક રાજકારણમાં એન્ટ્રી કરી છે. તેમની આ એન્ટ્રીને લઈને રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

નવનીત બાલધિયાએ પોતાની રાજકીય સફરની શરૂઆાત કરી

નવનીત બાલધિયાએ પોતાના રાજકીય સફરની શરૂઆત ભાજપ સાથે જોડાણથી કરી હોવાની ચર્ચા વચ્ચે હવે તેમણે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. આ પરિવર્તનને ઘણા રાજકીય વિશ્લેષકો “અચાનક અને આશ્ચર્યજનક” ગણાવી રહ્યા છે. ભાજપના માધ્યમથી આગળ વધ્યા બાદ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યો છે.

બાલધિયાના ઉદય પાછળ સમાજના કેટલાક આગેવાનો અને ખાસ કરીને સોલંકી બંધુઓના સમર્થનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીએ બગદાણા વિવાદ દરમિયાન ન્યાય અપાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી, જેના કારણે બાલધિયાને ઓળખ અને સમર્થન મળ્યું.

આ સમગ્ર પ્રકરણમાં એક રસપ્રદ મુદ્દો એ પણ છે કે બાલધિયા પર આરોપ છે કે તેમણે એક તરફ ભાજપની મદદથી પોતાની ઓળખ ઉભી કરી અને બીજી તરફ કોંગ્રેસમાં જઈને વફાદારી દર્શાવી. રાજકીય ભાષામાં આને “દ્વિચારી રણનીતિ” તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

કોળી આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા

નવનીત બાલધિયા સાથે અન્ય કેટલાક કોળી આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા છે. જેનાથી આ સમીકરણને વધુ રાજકીય વજન મળ્યું છે. ખાસ કરીને કોળી સમાજમાં આ પગલાને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

માયાભાઈ આહીરના દીકરી સાથે વિવાદના કારણે ચર્ચામાં આવ્યો

બાલધિયા અગાઉ માયાભાઈ આહીરના દીકરા જયરાજ સાથેના વિવાદને કારણે પણ ચર્ચામાં આવ્યા હતા. જેના કારણે તેમની ઓળખ વધુ વ્યાપક બની હતી. આ વિવાદ પછી તેઓ જાહેર જીવનમાં વધુ સક્રિય બન્યા અને હવે સીધા રાજકારણમાં પ્રવેશ કર્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદના ખાડિયામાં હિંદુઓની હેરાનગતિ, ભૂષણ ભટ્ટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કરી રજૂઆત

રાજનીતિમાં નવા સમીકરણો ઉભા કરી શકે

આ સમગ્ર ઘટનાક્રમ ગુજરાતની રાજનીતિમાં નવા સમીકરણો ઉભા કરી શકે છે. આવનારા સમયમાં બાલધિયાનો પ્રભાવ કેટલો રહેશે અને તેઓ કોંગ્રેસમાં કેટલી અસરકારક ભૂમિકા ભજવી શકશે તે જોવાનું રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Navneet Baldhiya Bhavnagar News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ