બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવલા નોરતાના પ્રથમ દિવસે શકિતપીઠોમાં માનવ મહેરામણ, અંબાજી, પાવાગઢ હકડે ઠાઠ
Last Updated: 11:22 AM, 3 October 2024
નવરાત્રીનાં પ્રથમ દિવસે યાત્રાધામ અંબાજી, બહુચરાજી, ઊંઝા, કાગવડ ખાતે માતાજીનાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી. નોરતા શરૂ થાય અને શક્તિપીઠ અંબાજીમાં ભક્તો ન ઉમટી પડે એવું તો શક્ય જ નથી. નવરાત્રીના પહેલા દિવસે જ શક્તિપીઠ મા અંબાના દર્શન કરવા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બોલ માડી અંબેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
ADVERTISEMENT
યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
ADVERTISEMENT
યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. પ્રથમ નવરાત્રીમાં અંબાનાં દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યા હતા. માતાજીની એક ઝલક માટે ભક્તો વહેલી સવારથી જ લાઈનમાં ઉભા રહ્યા હતા. દ્વાર ખુલતા માતાજીનાં દર્શન કરવા ભક્તો દોડ્યા હતા. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણહારવામાં આવ્યો હતો. માતાજીની આરતીમાં હજારો ભક્તો જોડાયા હતા.
વધુ વાંચોઃ અમદાવાદ મંડળના રેલવે વ્યવહાર પર મોટી અસર, આ ટ્રેનો રદ્દ, 69 ટ્રેન ડાયવર્ટ, જુઓ લિસ્ટ
ADVERTISEMENT
પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો
ADVERTISEMENT
નવરાત્રીના પહેલા દિવસે જ પાવાગઢમાં માઈ ભક્તોની લાંબી કતાર જોવા મળી. નવરાત્રીને અનુલક્ષીને વહેલી સવારના 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર ખુલી ગયા હતા. ભક્તોનો ઉત્સાહ પણ એટલો હતો કે આગલી રાતથી જ સૌ કોઈ પાવાગઢ પહોંચી ગયું હતું. નિજ મંદિરથી દાદરા સુધી ભક્તોનો માનવ મહેરામણ જોઈ શકાતો હતો. મંદિર ટ્રસ્ટે પ્રસાદના વિતરણમાં પણ કોઈ કચાશ ન રહે તેની વ્યવસ્થા કરી છે અને દરરોજ ત્રણ પાળીમાં પ્રસાદ બનાવવાની કામગીરી દિવસ-રાત થઈ રહી છે. એક જ દિવસની અંદર પ્રસાદના 35 થી 40 હજાર પેકેટ બની રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.