બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / બસપા પ્રેસિડન્ટ માયાવતી બચી ગયા! PCમાં શોર્ટ સર્કિટ થતાં અફરાતફરી, સુરક્ષા ઘેરામાં બહાર કઢાયાં
Last Updated: 04:40 PM, 15 January 2026
BSP: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બસપા પ્રમુખ માયાવતીના જન્મદિવસની ઉજવણી માટે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સ (પીસી) દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થતાં હોલમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. પ્રેસ કોન્ફરન્સ પૂરી થવાની તૈયારીમાં હતી ત્યારે આ ઘટના બની હતી.
ADVERTISEMENT
લખનૌમાં બસપા પ્રમુખ માયાવતીના જન્મદિવસ દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. માયાવતીની પ્રેસ કોન્ફરન્સ (પીસી) દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થઈ હતી. ઇલેક્ટ્રિકલ પેનલમાંથી તણખા અને ધુમાડો નીકળવા લાગ્યો. માયાવતીની પ્રેસ કોન્ફરન્સ પૂરી થવાની તૈયારીમાં જ આ ઘટના બની. આખો હોલ તરત જ ધુમાડાના ગોટેગોટાથી ભરાઇ ગયો હતો. જેના કારણે હાજર પત્રકારો અને રાજકારણીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
*मायावती का जन्मदिन: शॉर्ट सर्किट से अफरा-तफरी, न सवाल लिया, न केक काटा... वापस गईं*
— ABT - Apna Bharat Times (@apnabharattimes) January 15, 2026
https://t.co/lR9wzkW5QT pic.twitter.com/KRPm1NRJMW
ADVERTISEMENT
તાત્કાલિક કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી
પ્રેસ કોન્ફરન્સ હોલમાં શોર્ટ સર્કિટ થતાં ઇલેક્ટ્રિકલ પેનલમાંથી તણખા નીકળવા લાગ્યા અને હોલમાં ધુમાળો ફેલાઇ ગયો હતો. જોકે માયાવતીના રક્ષણ માટે તૈનાત સુરક્ષા કર્મચારીઓએ ગજબ ચપળતા દર્શાવી. ખતરાને જોતા સુરક્ષા રક્ષકોએ તાત્કાલિક ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીને હોલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા અને તેમને તેમના નિવાસસ્થાને લઈ ગયા હતા.
ADVERTISEMENT

આ પણ વાંચોઃસુપ્રીમ કોર્ટમાંથી મમતા સરકારને મોટો ઝટકો, ED અધિકારીઓ સામેની FIR પર મૂક્યો પ્રતિબંધ
ADVERTISEMENT
અગ્નિ સલામતી સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો
શોર્ટ સર્કિટની માહિતી મળતાં સુરક્ષા ટીમ અને વિદ્યુત કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. સમય બગાડ્યા વિના સુરક્ષા કર્મચારીઓએ નજીકમાં અગ્નિશામક સાધનોનો ઉપયોગ કર્યો. આનાથી આગ ફેલાતા પહેલા જ ઓલવાઈ ગઈ. સદનસીબે ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ક્રાંતિકારી પરિવર્તન / મોંઘા પેટ્રોલની ચિંતા નહીં! ભારતમાં 100 ટકા ઈથેનોલ ઈંધણને મળી કાનૂની મંજૂરી,ગડકરીનું એલાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.