બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / દેશમાં કેમ વધી રહ્યું છે ભૂસ્ખલનનું પ્રમાણ? સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કારણ
Last Updated: 04:02 PM, 4 September 2025
સુપ્રીમ કોર્ટએ પંજાબથી લઈને જમ્મુ-કશ્મીર સુધીના રાજ્યોમાં આવેલા ભૂસ્ખલન અને પૂરની સ્થિતિની ગંભીર નોંધ લીધી છે. કોર્ટએ કેન્દ્ર સરકાર, NDMA તથા અન્ય સંબંધિત સંસ્થાઓને નોટિસ ફટકારી છે.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટએ સ્પષ્ટ કહ્યું કે,
'હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને જમ્મુ-કશ્મીર જેવા રાજ્યોમાં ગેરકાયદેસર રીતે વૃક્ષ કાપવાના કારણે કુદરતી આપત્તિઓ આવી રહી છે.'
ADVERTISEMENT
આ મામલાને લગતી અરજીની સુનાવણી હવે બે અઠવાડિયા પછી થશે. સાથે જ સોલિસિટર જનરલને તુષાર મહેતાને જરૂરી સુધારાત્મક પગલાં લેવાની સૂચના પણ આપવામાં આવી છે.
તુષાર મહેતાનું નિવેદન
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન SG તુષાર મહેતાએ જણાવ્યું કે
“આપણે કુદરત સાથે એટલી છેડછાડ કરી છે કે હવે કુદરત આપણને એની સામેનો જવાબ આપી રહી છે.”
ADVERTISEMENT
કોને કોને નોટિસ આપવામાં આવી?
ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રએ કેન્દ્રીય પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય, NHAI તથા હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને પંજાબની સરકારને પણ નોટિસ ફટકારી છે.
ADVERTISEMENT
આ સુનાવણી એ અરજી પર થઈ રહી છે જેમાં આરોપ મૂકાયો હતો કે ગેરકાયદેસર રીતે વૃક્ષ કાપવાના કારણે આવી કુદરતી આપત્તિઓ સર્જાઈ છે.
સુપ્રીમ કોર્ટની ચિંતા
ADVERTISEMENT
બેંચે અનામિકા રાણાની અરજીના બે અઠવાડિયા પછી ફરી સુનાવણી માટે સૂચિબદ્ધ કરી છે. સાથે જ સોલિસિટર જનરલ તુષાર મહેતાને જરૂરી સુધારાત્મક પગલાં સુનિશ્ચિત કરવા કહ્યું છે. ચીફ જસ્ટિસે કહ્યું,
“અમે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં અણધારી ભૂસ્ખલન અને પૂરની આફત જોઈ છે. મીડિયામાં આવેલી ખબરોમાં પણ બતાવવામાં આવ્યું છે કે પૂરમાં મોટી માત્રામાં લાકડાના ટુકડા વહેતા જોવા મળ્યા. પ્રથમ નજરે એવું લાગી રહ્યું છે કે વૃક્ષને ગેરકાયદેસર કાપવાથી આ થયું છે. તેથી જવાબદાર પક્ષોને નોટિસ પાઠવો અને બે અઠવાડિયામાં જવાબ માંગો.”
SG તુષાર મહેતાની દલીલ
સુપ્રીમ કોર્ટએ જણાવ્યું કે,
"મીડિયામાં હિમાચલ પ્રદેશમાંથી મોટી સંખ્યામાં લાકડાના ટુકડા વહેતા દેખાવાની તસવીરો પ્રસારિત થઈ છે. આ ખૂબ ગંભીર મુદ્દો છે. અમે પંજાબની તસવીરો પણ જોઈ રહ્યા છીએ જ્યાં આખા ખેતરો અને ગામડાં નષ્ટ થઈ ગયા છે. વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવું અતિ આવશ્યક છે"
આ મુદ્દાને લઈને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલમાં કહ્યું,
“આપણે કુદરત સાથે એટલી છેડછાડ કરી છે કે હવે કુદરત એની પ્રતિક્રિયા આપી રહી છે. આ અત્યંત ગંભીર બાબત છે."
વધુ વાંચો: 1988 પછી સૌથી ભયાનક પૂર...અત્યાર સુધીમાં 37 લોકોના મોત, 3 લાખથી વધુ લોકો પ્રભાવિત
હાલ જરૂરી પગલાંના ભાગ રૂપે કોર્ટે સંબંધિત સંસ્થાઓને નોટિસ ફટકરી છે હવે આગળની સુનાવણીમાં જોવું રહ્યું કે નોટિસ બાદ આ સમસ્યાને લઈને શું પગલાં લેવાશે?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.