બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:23 AM, 4 September 2025
Punjab Flood : પંજાબ હાલમાં 1988 પછીના સૌથી ગંભીર પૂરનો સામનો કરી રહ્યું છે. ધોધમાર વરસાદ અને હિમાચલ પ્રદેશ તથા જમ્મુ-કાશ્મીરમાંથી છોડાયેલા ભયાનક જળપ્રવાહને કારણે રાજ્યની મુખ્ય નદીઓ સતલુજ, બિયાસ અને રાવી નદી સતત વહી રહી છે. મોસમી નાળા અને નદીના આધારિત નગરો અને ગામડાઓમાં પાણી ઘૂસી ગયાં છે, જેને લીધે સમગ્ર રાજ્યમાં જિંદગીઓ અને જીવો માટે મોટું સંકટ ઉભુ થયું છે.
ADVERTISEMENT
મૃત્યુ અને અસરગ્રસ્તોની સંખ્યા ચિંતાજનક
આ પૂરપ્રકોપમાં અત્યાર સુધીમાં 37 લોકોનું મૃત્યુ થયું છે, જ્યારે 3.5 લાખથી વધુ લોકો સીધા અસરગ્રસ્ત થયા છે. પંજાબના 23માંથી તમામ જિલ્લાઓ કોઈ ને કોઈ રીતે પૂરથી પ્રભાવિત થયા છે, જેમાંથી 1,655 ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ADVERTISEMENT
ખેડૂતો માટે મોટી આફત
પૂરે પંજાબની કૃષિવ્યવસ્થાને ભારે ઝટકો આપ્યો છે. આશરે 1.48 લાખ હેક્ટર જમીન પર ઉભો પાક નષ્ટ થઈ ગયો છે. ઘણી જગ્યાએ ખેતરો તળાવો બની ગયા છે અને તેમનામાં પાણીની ઊંડાઈ 8 થી 10 ફૂટ જેટલી નોંધાઈ છે. ખેડૂતોને પશુધનના નુકસાનથી લઇને ઘરોની ધજાગર સુધીના નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
લોકોનું હોડીઓમાં સ્થળાંતર
હાલત એટલી ગંભીર છે કે લોકો પોતાના ઘરો છોડીને હોડીઓ, ઊંચા પ્લેટફોર્મો અને છત પર રહેવા મજબૂર બન્યા છે. ઘણા વિસ્તારમાં પરિવારો હજું સુધી પણ યોગ્ય રાહત શિબિર સુધી પહોંચી શક્યા નથી.
ADVERTISEMENT
આ વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત
ગુરદાસપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, કપૂરથલા, તરનતારન, ફિરોઝપુર, હોશિયારપુર અને અમૃતસર આ જિલ્લાઓમાં પૂરનો સૌથી વધુ કહેર જોવા મળ્યો છે. વહીવટીતંત્ર દ્વારા રાહત શિબિરો ઉભા કરવામાં આવ્યા છે, પરંતુ પૂર પીડિતો હજુ પણ પૂરતો સહારો મેળવવામાં સંઘર્ષ કરી રહ્યાં છે.
ADVERTISEMENT
पंजाब हर मुश्किल घड़ी में हमेशा हर किसी के साथ खड़ा रहा है। आज हम सभी को इस प्राकृतिक आपदा से जूझ रहे पंजाब के साथ खड़े होने की ज़रूरत है। आइए एक-दूसरे का सहारा बनें। बाढ़ पीड़ित परिवारों के लिए चल रहे राहत कार्यों में अपना योगदान दें। आप इसके लिए तस्वीर में दिए गए मुख्यमंत्री… pic.twitter.com/wtSVuq0pRo
— Bhagwant Mann (@BhagwantMann) September 3, 2025
રાજકીય નેતાઓની સંવેદના અને સહાયતા
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભગવંત માને ફિરોઝપુરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને રાજ્યમાં ખાસ ગિરદાવરી (નુકસાન મૂલ્યાંકન સર્વે) શરૂ કરાઈ હોવાની જાણકારી આપી. તેમણે કહ્યું કે, AAP નેતા અરવિંદ કેજરીવાલ પણ આગામી દિવસોમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. આમ આદમી પાર્ટીના નેતાઓ જેમ કે મનીષ સિસોદિયા અને રાઘવ ચઢ્ઢાએ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે. રાઘવ ચઢ્ઢાએ તો પોતાના સ્થાનિક વિસ્તાર વિકાસ ભંડોળમાંથી રૂ. 3.25 કરોડની સહાય આપી છે.

પૂરગ્રસ્તોને મદદરૂપ થવા માટે પંજાબના કલાકારો અને સામાજિક સંગઠનો પણ આગળ આવ્યા છે. સોનુ સૂદ, દિલજીત દોસાંઝ, ગિપ્પી ગ્રેવાલ, કરણ ઔજલા, અમ્મી વિર્ક અને રણજીત બાવા જેવા લોકપ્રિય કલાકારોએ પીડિતો સુધી રાહત પહોંચાડવાની કામગીરી શરૂ કરી છે. શીખ સંસ્થાઓ અને NGO-ઓ ખાદ્યસામગ્રી, દવાઓ અને આશ્રય આપવા માટે સતત કાર્યરત છે.
We’ve reached some flood-affected areas in Punjab and are working to reach the rest. This is not just help — it's our promise to stand with you, always. 💛#PunjabFloods #FloodRelief #WeStandWithPunjab #TogetherForPunjab@SoodFoundation @Malvikasood4 pic.twitter.com/VtRvDmVm1e
— sonu sood (@SonuSood) September 3, 2025
આ પણ વાંચો : એવી દવાઓ, જેની પર હવે નહીં લાગે કોઇ GST, એક ક્લિકમાં જુઓ સંપૂર્ણ લિસ્ટ
આ તરફ રાજ્ય સરકાર દ્વારા 7 સપ્ટેમ્બર સુધી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભાખરા નાંદ પ્રોજેક્ટમાં પાણીનો સ્તર 1677.84 ફૂટ સુધી પહોંચી ગયો છે, જે તેની મહત્તમ ક્ષમતા 1680 ફૂટના દરવાજા સુધી છે. તેથી વધુ વરસાદ અથવા પાણી છોડવાની કોઈ જરૂરિયાતમાં નવા વિસ્તારોમાં પણ પૂરની ભીતિ ઉભી થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.