બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અધર્મનો ધંધો! મુરારી બાબુ સોનાની દાણચોરીમાં ઝડપાયા, મંદિરને નામે કરોડોના સાગથી બાંધ્યું વૈભવી ઘર

કેરળ / અધર્મનો ધંધો! મુરારી બાબુ સોનાની દાણચોરીમાં ઝડપાયા, મંદિરને નામે કરોડોના સાગથી બાંધ્યું વૈભવી ઘર

Hiralal Parmar

Last Updated: 12:24 PM, 25 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના એક જાણીતા મંદિરમાંથી સોનાની દાણચોરીમાં મુરારી બાબુનું નામ ઉછળતાં હડકંપ મચ્યો છે. પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે.

આ દેશમાં અધર્મનો ધંધો બહુ ચાલી રહ્યો છે. ભારતના જાણીતા અને મોટા મંદિરના એક બાબુુએ મંદિરનું કરોડોનું કરી નાખ્યું અને મંદિરના પૈસાથી પોતાના માટે એક આલિશાન ઘર બાંધ્યું હતું. આ બાબુુએ મંદિરમાં ચઢેલી સોનાની પરતો ઉખેડી લીધી અને તેની દાણચોરી કરી નાખી. આ મામલો સામે આવતાં દેશમાં હડકંપ મચ્યો છે.

સબરીમાલા મંદિરના સોનાનો વિવાદ ચગ્યો

કેરળમાં આવેલા વિશ્વ વિખ્યાત સબરીમાલા મંદિરના સોનાનો વિવાદ ચગ્યો છે અને હવે તેમાં મુરારી બાબુુનું નામ ઉછળતાં હડકંપ મચ્યો છે. પોલીસે તાબડતોબ બાબુુની ધરપકડ કરી લીધી છે. સબરીમાલા સોનાની ચોરીમાં ધરપકડ કરાયેલ મુરારી બાબુએ પેરુન્નામાં કરોડો ખર્ચ કરીને બનાવેલા પોતાના ઘર માટે સાગનું લાકડું ખરીદ્યું હતું અને મંદિર કમિટીને ગેરમાર્ગે દોરી હતી.

મુરારી બાબુએ બે માળનું ઘર બનાવ્યું

મુરારી બાબુુએ કેરળના કોટ્ટાયમ નટ્ટાસેરીમાં વન વિભાગના લાકડાના ડેપોનો સંપર્ક કરીને કહ્યું કે તિરુનાક્કારા અને એટ્ટુમાનૂર મંદિરો અને દેવસ્વોમ ગેસ્ટ હાઉસના નિર્માણ માટે સાગના લાકડાની જરૂર છે. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે ત્યાં લાકડાનો કોઈ સ્ટોક નથી, ત્યારે મુરારી બાબુએ તેમને અન્ય કોઈ ડેપોમાંથી તેની વ્યવસ્થા કરવાનું પણ કહ્યું હતું. આ ઘર પાછળ તેમણે મંદિરના 2 કરોડ ફૂંકી નાખ્યાં હતા. લાકડાના બાંધકામો સહિત ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તપાસ ટીમને મળી સોનાની દાણચોરી

આ કેસની તપાસ કરી રહેલી ટીમને સોનાની દાણચોરી મળી આવી છે અને ઘર તે ​​જ સમયે બનાવવામાં આવ્યું હતું.

વધુ વાંચો : જુગારમાં હાર બાદ દોસ્ત સાથે સંબંધ બાંધવા પતિએ હોટલ મોકલી, પત્ની પણ ચાલાક નીકળી, કર્યું ખતરનાક

શું હતો વિવાદ

કેરળના પ્રખ્યાત હિન્દુ મંદિર સબરીમાલામાંથી સોનાની પરતોની ચોરી થઈ હતી. મુખ્ય આરોપી તરીકે મુરારી બાબુુનું નામ સામે આવ્યું છે. સોનાની ચોરીના કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. સોનાની ચોરીના કેસની તપાસ કરી રહેલી ટીમે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે મંદિરની દ્વારપાલક મૂર્તિઓમાંથી લગભગ બે કિલોગ્રામ સોનું ઉચાપત કરવામાં આવ્યું હતું. SIT એ પોતાના રિમાન્ડ રિપોર્ટમાં કહ્યું છે કે આરોપી ઉન્નીકૃષ્ણન પોટ્ટીએ 2019 માં દ્વારપાલક (રક્ષક દેવતા) ની મૂર્તિઓમાંથી લગભગ બે કિલોગ્રામ સોનું ચોરી લીધું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sabarimala news murari babu sabarimala temple
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ