બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / 'PM મોદી ફરીથી સરન્ડર કરશે'...', ટેરિફ પર US કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધીના આકરા પ્રહાર

રાજનીતિ / 'PM મોદી ફરીથી સરન્ડર કરશે'...', ટેરિફ પર US કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધીના આકરા પ્રહાર

Priykant Shrimali

Last Updated: 03:09 PM, 21 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi : કોર્ટના નિર્ણય બાદ ભારતની રાજનીતિમાં આરોપ-પ્રત્યારોપની નવી શરૂઆત થઈ છે. રાહુલ ગાંધીએ આજે આ મામલે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી...

Rahul Gandhi : અમેરિકામાં ટેરિફ મુદ્દે થયેલ કાનૂની નિર્ણય પછી ભારતના રાજકારણમાં પણ ચર્ચાનો માહોલ ગરમાયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા આયાત શુલ્ક અંગે Supreme Court of the United Statesએ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટના નિર્ણય બાદ ભારતની રાજનીતિમાં આરોપ-પ્રત્યારોપની નવી શરૂઆત થઈ છે. રાહુલ ગાંધીએ આજે આ મામલે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે.

ટેરિફ મુદ્દે કોર્ટનો મોટો નિર્ણય

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રપતિને એકતરફી રીતે આવા વ્યાપક ટેરિફ લાદવાનો અધિકાર નથી. આ ચુકાદા બાદ ટ્રમ્પે ફરી એકવાર વૈશ્વિક સ્તરે 10 ટકા ગ્લોબલ ટેરિફ લાદવાની જાહેરાત કરી હોવાનું કહેવાય છે. આ પગલાએ આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધોને લઈને નવી ચર્ચાઓ શરૂ કરી દીધી છે.

રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર

આ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધું નિશાન સાધ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે સરકારે અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં દેશના હિતો સાથે સમાધાન કર્યું છે અને હવે સત્ય બહાર આવી રહ્યું છે. રાહુલ ગાંધીનો આરોપ છે કે, આ પ્રકારની સમજૂતીમાં ખેડૂતો અને નાના વેપારીઓના હિતોની પૂરતી કાળજી લેવામાં આવી નથી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન ફરીથી દબાણમાં આવી શકે છે અને દેશના હિતો પર સમજૂતી કરી શકે છે.

આ પણ વાંચો : VIDEO : ગલગોટીયા યુનિવર્સીટીની છોકરીએ કર્યો અશ્લીલ ડાન્સ, લોકોએ કહ્યું- AI માટે નહીં વલ્ગર માટે મશહૂર

ટ્રેડ ડીલ શું કહે છે?

ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી વેપાર સંબંધોને લઈને ચર્ચા ચાલી રહી હતી. ફેબ્રુઆરીમાં થયેલી એક સમજૂતી અનુસાર કેટલાક ભારતીય કૃષિ ઉત્પાદનોને અમેરિકામાં નિકાસ માટે રાહત આપવામાં આવી છે. બીજી તરફ, અમેરિકી ઉત્પાદનો માટે ભારતમાં મોટી છૂટછાટ આપવામાં આવી નથી એવો સરકારનો દાવો છે. સરકારનું કહેવું છે કે આ કરારથી દેશના ખેડૂતો, ડેરી ઉદ્યોગ અને નાના વેપારીઓના હિતો સુરક્ષિત છે. પરંતુ વિરોધ પક્ષ માને છે કે લાંબા ગાળે આ કરાર ભારત માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ટેરિફ અને ટ્રેડ ડીલનો મુદ્દો હવે માત્ર આર્થિક નથી રહ્યો, પરંતુ રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે. આવનારા સમયમાં સંસદ અને જાહેર મંચો પર આ મુદ્દે વધુ ગરમાગરમી જોવા મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rahul Gandhi Statement Tariff Controversy India-US Trade Deal
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ