બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભાજપ નેતાના ઘર પર મોટો આતંકવાદી હુમલો, પોલીસ દોડતી થઈ

નેશનલ / ભાજપ નેતાના ઘર પર મોટો આતંકવાદી હુમલો, પોલીસ દોડતી થઈ

Last Updated: 07:25 AM, 8 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારે મોડી રાત્રે પંજાબના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા મનોરંજન કાલિયાના જલંધર સ્થિત નિવાસસ્થાને વિસ્ફોટ થયો હતો. એવી આશંકા છે કે તેમના ઘર પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો છે. જોકે પોલીસની એક ટીમ ઘટનાસ્થળે આવીને તપાસ હાથ ધરી હતી.

ગઇકાલે એટલે કે સોમવારે મોડી રાત્રે ભાજપના વરિષ્ઠ નેતા અને પંજાબના ભૂતપૂર્વ ઇકેબીનેટ મંત્રી મનોરંજન કાલિયાના નિવાસ સ્થાન પર ગ્રેનેડ ફેંકીને હુમલો થયો હતો. ગ્રેનેડ ફેંકાતા તેમના નિવાસ સ્થાને એક વિસ્ફોટ થયો હતો. આ ઘટના જ્યારે બની ત્યારે તેઓ ઘરે હજાર હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે હાજર થઈ ગઈ હતી અને તપાસની કાંગીતિ શરૂ કરી હતી. આ અંગે જાલંધરના ડીસીપી મનપ્રીત સિંહે જણાવ્યું હતું કે ફોરેન્સિક ટીમ તપાસ કરશે અને રિપોર્ટ રજૂ કરશે.

ભાજપના નેતા મનોરંજન કાલિયાએ જણાવ્યું હતું કે " વિસ્ફોટ રાત્રે 1 વાગ્યાની આસપાસ થયો હતો. હું સૂઈ રહ્યો હતો. મને લાગ્યું કે તે વાદળોની ગર્જના હશે. પછી મને કહેવામાં આવ્યું કે વિસ્ફોટ થયો છે. આ પછી મેં મારા ગનમેનને પોલીસ સ્ટેશન મોકલ્યો. સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિકની ટીમ પણ અંહિયા પહોંચી હતી."

ભાજપના નેતાના ઘર પર હુમલો

સોમવારે મોડી રાત્રે પંજાબ સરકારમાં ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી રહેલા ભાજપ નેતા મનોરંજન કાલિયાના જલંધર સ્થિત ઘર પર વિસ્ફોટકો ફેંકવામાં આવ્યા હતા. તેમના ઘર પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હોવાની શંકા છે. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે આ ગ્રેનેડ હુમલો હતો કે તેના ઘર પર કોઈ અન્ય વિસ્ફોટક ફેંકવામાં આવ્યો હતો.

જોરદાર વિસ્ફોટથી ઘરની બારીઓ તૂટી ગઈ

સોમવારે રાત્રે લગભગ 1.30 વાગ્યાની આસપાસ ત્રણથી ચાર યુવાનો ઈ-રિક્ષામાં આવ્યા અને મનોરંજન કાલિયાના ઘર પર વિસ્ફોટક ફેંકીને ભાગી ગયા. વિસ્ફોટક ઘરની અંદર તેમની કાર પાસે પડ્યો. જોરદાર વિસ્ફોટને કારણે માત્ર કાર જ નહીં પરંતુ ઘરની બારીઓના કાચ પણ તૂટી ગયા. એટલું જ નહીં જમીન પર ખાડો પણ બની ગયો છે. ઘટના સમયે મનરંજન કાલિયા ઘરે સૂતા હતા. હાલમાં આ ઘટનામાં મનોરંજન કાલિયા અને તેમનો આખો પરિવાર સુરક્ષિત છે.

આ પણ વાંચો: મધરાત્રે દારૂના નશામાં કારચાલકે 6 લોકોને કચડી નાખ્યા, 2 લોકોના તો ઘટનાસ્થળે જ મોત

ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે

જાલંધર પોલીસ કમિશનર ધનપ્રીત કૌરે જણાવ્યું કે રાત્રે લગભગ 1 વાગ્યે અમને અહીં વિસ્ફોટની માહિતી મળી ત્યારબાદ અમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. ફોરેન્સિક ટીમ આ મામલાની તપાસ કરી રહી છે. અમે સીસીટીવી પર પણ નજર રાખી રહ્યા છીએ. ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે કે આ ગ્રેનેડ હુમલો છે કે બીજું કંઈક.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Grenade attack Punjab News BJP Leader
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ