બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'પરમાણુ ધમકીથી નથી ડરતું નવું ભારત', 75માં જન્મદિવસે જ PM મોદીની સિંહગર્જના

મધ્યપ્રદેશ / 'પરમાણુ ધમકીથી નથી ડરતું નવું ભારત', 75માં જન્મદિવસે જ PM મોદીની સિંહગર્જના

Priykant Shrimali

Last Updated: 02:51 PM, 17 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Birthday : જન્મ દિવસે PM મોદીએ મધ્યપ્રદેશથી એક મોટું નિવેદન આપતા કહ્યું , નવું ભારત કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી. ઘરમાં ઘૂસીને મારે છે...

PM Modi Birthday : PM મોદીએ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અને ‘આઠમા રાષ્ટ્રીય પોષણ માસ’ અભિયાનનો ભવ્ય પ્રારંભ કર્યો. 75મા જન્મદિવસે સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વના વિચારો રજૂ કરતાં તેમણે અનેક નિર્ણાયક મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો. આ સાથે આજે તેમના જન્મ દિવસે PM મોદીએ મધ્યપ્રદેશથી એક મોટું નિવેદન આપતા કહ્યું કે, નવું ભારત કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી. ઘરમાં ઘૂસીને મારે છે.

નારીશક્તિને સમર્પિત અભિયાન

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, "સ્વસ્થ નારી સશક્ત પરિવાર" આ અભિયાન દેશની માતાઓ અને બહેનો માટે સમર્પિત છે. એકપણ મહિલા કે જે જાણકારી કે સંસાધનના અભાવે સારવારથી વંચિત રહેતી હોય તે સ્વીકાર્ય નથી. આ અભિયાન આરોગ્ય, પોષણ અને જાગૃત્તિ દ્વારા નારીને સ્વસ્થ અને સશક્ત બનાવવાનો મહત્ત્વાકાંક્ષી પ્રયાસ છે.

આતંકવાદ સામે નવું ભારત

જનસભામાં વડાપ્રધાને ભારતના સુરક્ષા પરાક્રમ અંગે વાત કરતાં કહ્યું, નવું ભારત કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી. ઘરમાં ઘૂસીને મારે છે. તેમણે ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, જે આતંકવાદીઓએ ભારતની બહેનોના સિંદૂર ઉજાળ્યા તેમના ઠેકાણાઓ નષ્ટ કરવામાં આવ્યા છે. આપણા જવાનોએ પળવારમાં જ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું. આ સાથે જ તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું કે, નવું ભારત શાંતિમાં વિશ્વાસ રાખે છે, પણ દેશની સુરક્ષા માટે પ્રતિપળ તત્પર છે.

મા ભારતીની રક્ષાએ સર્વોચ્ચ પ્રાથમિકતા

વડાપ્રધાને મહર્ષિ દધિચિના ત્યાગનું સ્મરણ કરતાં જણાવ્યું કે, આજનું ભારત તેમના જેવા યોગદાનોમાંથી પ્રેરણા લે છે અને મા ભારતીની રક્ષા દરેક નાગરિકની પ્રથમ જવાબદારી માનશે. તેમણે કહ્યું કે, ભારતીય જવાનોએ પળવારમાં દુશ્મનને ઘૂંટણિયે પાડી દીધા.

આ પણ વાંચો : VIDEO : અંબાણીથી લઈ શાહરૂખ સુધી, PM મોદીને પાઠવી જન્મદિનની શુભેચ્છા

ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ

ધાર ખાતે વડાપ્રધાને ભારતના સૌથી મોટા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ કર્યો. તેમણે કહ્યું કે, આ અભૂતપૂર્વ પહેલથી ખેડૂતોને તેમની ઉપજનું યોગ્ય મૂલ્ય મળશે અને યુવાનો માટે હજારો રોજગારના દરવાજા ખુલશે. આ સાથે તેમણે કહ્યું કે, વિશ્વકર્મા જયંતિએ શરૂ થયેલ આ યાત્રા ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવી ઊર્જા લાવશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ને નવો વેગ મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Birthday Operation Sindoor Healthy Women
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ