બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:14 AM, 11 September 2025
બિહારના ફરી એક વાર ગુનેગારો બેફામ બન્યાં છે. આ વખતે તેમણે આરજેડીના મોટા નેતાને હડફેટે લીધા. પટનાના રાજેન્દ્ર નગર ટર્મિનલ નજીક આરજેડી નેતા અને જમીન વેપારી રાજકુમાર રાયની ગોળી મારીને હત્યા કરી દીધી. ઘટના બાદ ગુનેગારો કાંકરબાગ મેઈન રોડ તરફ ભાગી ગયા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને એસએસએલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે ઘટનાસ્થળેથી 6 ગોળીઓના ખોખા કબજે કર્યા હતા.
ADVERTISEMENT
બે ગુનેગારોએ છ ગોળીઓ ચલાવી
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, મૃતકની ઓળખ રાજકુમાર રાય તરીકે થઈ છે, જે વૈશાલી જિલ્લાના રાઘોપુરનો રહેવાસી છે. બે અજાણ્યા બદમાશોએ રાજકુમાર રાય પર હુમલો કર્યો હતો. રાજકુમાર રાય પોતાનો જીવ બચાવવા માટે દોડ્યા, પરંતુ બદમાશોએ તેમના પર છ ગોળીઓ ચલાવી. આ કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. સમર્થકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : હોટલમાં ASI બાર ડાન્સરને બાથ ભરીને સુતા, અશ્લીલ વીડિયો વાયરલ થતાં હડકંપ
તેજસ્વી યાદવના વિસ્તારમાંથી ચૂંટણીની તૈયારી
ADVERTISEMENT
રાજેન્દ્ર રાય આરજેડી સાથે જોડાયેલા હતા. આ વખતે તેઓ તેજસ્વી યાદવના વિધાનસભા મતવિસ્તારમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. અગાઉ પણ તેઓ રાઘોપુરથી ચૂંટણી લડી ચૂક્યા હતા. રાય પંચાયતી રાજ સેલ આરજેડીના વૈશાલી જિલ્લા પ્રમુખ પણ હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.