બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'પહેલા હું માંસાહારી હતો, ગંગા સ્નાન પછી એવા ચમત્કારો થયા કે શાકાહારી બની ગયો'

વારાણસી / 'પહેલા હું માંસાહારી હતો, ગંગા સ્નાન પછી એવા ચમત્કારો થયા કે શાકાહારી બની ગયો'

Vidhata Gothi

Last Updated: 10:38 AM, 1 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CP Radhakrishnan in Varanasi: દેશના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કાશીમાં તેમના અંગત જીવન સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો. તેમણે જણાવ્યું કે કેવી રીતે 25 વર્ષ પહેલા તેમણે શુદ્ધ શાકાહારી જીવનશૈલી અપનાવી લીધી.

Vice President CP Radhakrishnan: ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન શુક્રવારે ઉત્તર પ્રદેશના વારાણસી પહોંચ્યા હતા. અહીં તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે તમિલ સમુદાય દ્વારા સંચાલિત નવી ધર્મશાળાનું ઉદ્ઘાટન કર્યું. ઉપરાષ્ટ્રપતિએ સભાને પણ સંબોધિત કરી. તેમણે જણાવ્યું કે 25 વર્ષ પહેલાં જયારે તેઓ કાશી આવ્યા હતા, ત્યારે તેઓ માંસાહારી હતા. પરંતુ ગંગામાં સ્નાન કર્યા પછી, તેમણે પોતાની અંદર એક ગહન પરિવર્તન અનુભવ્યું અને તેમણે શુદ્ધ શાકાહારી જીવનશૈલી અપનાવી લીધી.

ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને ઉદ્ઘાટન સમારોહમાં કહ્યું, ધર્મ અસ્થાયી રીતે સંકટમાં હોઈ શકે છે, પરંતુ તે ક્યારેય સ્થાયી રીતે અદ્રશ્ય નથી થતો. આ ઇમારત તેનો પુરાવો છે. 25 વર્ષ પહેલાં જ્યારે હું પહેલી વાર કાશી આવ્યો હતો, ત્યારે હું માંસાહારી હતો. ગંગામાં સ્નાન કર્યા પછી, મારા જીવનમાં એટલું પરિવર્તન આવ્યું કે મેં શાકાહાર અપનાવી લીધો.

તેમણે એમ પણ કહ્યું કે આજનું કાશી 25 વર્ષ પહેલાંની કાશીથી ઘણું અલગ છે. આ પરિવર્તન ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કારણે જ શક્ય બની શક્યું છે. ઉપરાષ્ટ્રપતિએ તમિલનાડુના નગરથર સમુદાયના સામાજિક સેવા અને સાંસ્કૃતિક યોગદાનની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે આ ધર્મશાળાના નિર્માણ માટે આ સમુદાયે આશરે 60 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, જેને તેમણે શ્રદ્ધા, દ્રઢતા અને આંતર-ક્ષેત્રીય સંકલનનું પ્રતીક ગણાવ્યું.

ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને કહ્યું કે આ નવી સુવિધા માત્ર એક ભવન નથી, પરંતુ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચેના સાંસ્કૃતિક બંધનનો એક નવો અધ્યાય છે. તેમણે જણાવ્યું કે તમિલ વિદ્વાનો, કવિઓ અને ભક્તોએ જ્ઞાન અને આધ્યાત્મિકતાની શોધમાં કાશીની યાત્રા કરી છે. આ દિશામાં આ પગલું આને વધુ મજબૂત બનાવશે. તેમણે યાદ કર્યું કે આ સંસ્થા (શ્રી કાશી નટ્ટુક્કોટ્ટઈ નગર સતરામ મેનેજિંગ સોસાયટી) 1863માં તમિલનાડુથી કાશી આવતા ભક્તોની મદદ માટે સ્થાપિત કરવામાં આવી હતી અને આજે પણ તે જ ભાવનાથી કાર્ય કરી રહી છે.

vtv app promotion

આ પણ વાંચો: ગુજરાતની સરહદે મળ્યો સોનાનો વિશાળ ભંડાર, ઉચ્ચ અધિકારીઓના ધાડેધાડા ઉતર્યા

ઉપરાષ્ટ્રપતિએ અન્નપૂર્ણા દેવીની મૂર્તિની વાપસી અને કાશી-તમિલ સંગમમ જેવા આયોજનોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે મોદી અને યોગીના નેતૃત્વમાં કાશીમાં આધ્યાત્મિક પુનર્જાગરણ થઈ રહ્યું છે. તેમણે કાશી વિશ્વનાથ મંદિર સંકુલમાં દેવી અન્નપૂર્ણા અમ્મન દેવીની મૂર્તિની વપસીની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે એક સદી કરતાં વધુ સમય પહેલાં વારાણસીના એક મંદિરમાંથી ચોરાયેલી આ મૂર્તિ મોદીના નેતૃત્વમાં ભારત સરકારના સતત પ્રયાસોને કારણે 2021માં કેનેડાથી ભારત પરત આવી શકી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VP Radhakrishnan in Varanasi Vice President CP Radhakrishnan VP Radhakrishnan Vegetarian
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ