બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:52 PM, 19 July 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના રુદ્રપુરમાં આયોજિત 'ઉત્તરાખંડ રોકાણ મહોત્સવ' માં ભાગ લેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં રાજ્યના વિકાસ કાર્યોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે જે લોકો એક સમયે કહેતા હતા કે નાના રાજ્યોનું ભવિષ્ય ઉજ્જવળ નહીં હોય, આજે એ જ ઉત્તરાખંડ વિકાસના શિખર પર પહોંચી રહ્યું છે. શાહે કહ્યું કે ઓલ વેધર રોડ પ્રોજેક્ટને મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં પણ બચાવી લીધો હતો અને હવે તે લગભગ પૂર્ણ થઈ ગયો છે, જેના કારણે ચારધામ યાત્રા આખું વર્ષ ચાલુ રહી શકશે.
ADVERTISEMENT

કોંગ્રેસ પર અમિત શાહનો નિશાનો
ADVERTISEMENT
અમિત શાહે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું, 'જ્યારે ઉત્તરાખંડના લોકો રાજ્યની માંગણી માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસે આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. ઉત્તરાખંડ ભાજપ અને વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા બનાવવામાં આવ્યું હતું.' તેમણે કોંગ્રેસના નેતાઓને ચેતવણી આપી - 'જ્યારે રાજ્ય સારું થઈ રહ્યું હોય, ત્યારે હવનમાં હાડકાં નાખવાનું બંધ કરો, નહીં તો તમારામાંથી જે વધ્યા-ઘટ્યા છે તે પણ ગાયબ થઈ જશે.'
અમિત શાહે ઓલ વેધર રોડના મુદ્દા પર પણ નિવેદન આપ્યું
ADVERTISEMENT
અમિત શાહે કહ્યું કે જ્યારે કેટલાક કાર્યકરો ઓલ વેધર રોડ પ્રોજેક્ટને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે મોદી સરકારે પોતાના વકીલોને સુપ્રીમ કોર્ટમાં મોકલીને પ્રોજેક્ટને રોકવા દીધો નહીં. પરિણામે, આ રોડ પ્રોજેક્ટ હવે સફળતાપૂર્વક ચારધામ પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં સંપૂર્ણપણે કાર્યરત થશે. આનાથી પ્રવાસીઓ આખું વર્ષ ઉત્તરાખંડ આવી શકશે.

ADVERTISEMENT
ગરીબ કલ્યાણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ એક સાથે
અમિત શાહે મોદી સરકારની સિદ્ધિઓ પર બોલતા કહ્યું- 'પહેલા એવું કહેવામાં આવતું હતું કે જો ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગનો વિકાસ થાય છે તો ગરીબોને ફાયદો થઈ શકતો નથી, પરંતુ મોદીજીએ આ માન્યતા તોડી નાખી.' તેમણે કહ્યું કે મોદી સરકારે 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા અને ગરીબ કલ્યાણ માટે ડઝનબંધ યોજનાઓ શરૂ કરી.
ADVERTISEMENT
વધુ વાંચો: 'દવાથી ન મરે તો કરંટ આપી દે...' પત્નીએ દિયર સાથે મળીને પતિનું કાસળ કાઢ્યું, ચેટથી ખુલ્યું રાઝ
ઉત્તરાખંડમાં એક લાખ કરોડથી વધુનું રોકાણ આવ્યું
ADVERTISEMENT
ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, પહાડી રાજ્ય હોવા છતાં, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના પ્રયાસોને કારણે, ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ આવ્યું છે. 2023ના ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં થયેલા 3.56 લાખ કરોડ રૂપિયાના એમઓયુમાંથી 1 લાખ કરોડ રૂપિયાના રોકાણને જમીન પર ઉતારવામાં આવ્યું છે. રુદ્રપુરમાં જ, આજે 1,271 કરોડ રૂપિયાના પાંચ ઉદ્ઘાટન અને 14 શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.