બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:51 PM, 8 October 2025
દેશમાં બાળકોના મોતના કિસ્સાઓથી ચિંતાનો માહોલ છે, જેમાં ચેન્નઈ આધારિત શ્રીસન ફાર્માસ્યુટિકલ્સના કફ સિરપ 'કોલ્ડરિફ'નું નામ આગળ આવ્યું છે. કેન્દ્રીય ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ 2023માં જ ચેતવણી આપી હતી કે આ સિરપમાં ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન (FDC) – ક્લોરફેનીરામિન મેલિએટ IP 2mg + ફેનાઈલેફ્રિન HCL IP 5mg – 4 વર્ષથી નાના બાળકોને ન આપવું જોઈએ અને લેબલ પર સ્પષ્ટ ચેતવણી લગાવવી જોઈએ. પરંતુ કંપનીએ આ નિર્દેશની અવગણના કરી, જેમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં 14 બાળકો ભોગ બન્યા. આ હાથસાએ દેશની દવા નિયમન વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
ADVERTISEMENT

CDSCOના સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC)એ 2023માં જ આ FDCને 4 વર્ષથી નાના બાળકો માટે પ્રતિબંધિત જાહેર કર્યું હતું. આ ચેતવણીને કારણે કંપનીઓને પેકેજિંગ પર '4 વર્ષથી નાના બાળકો માટે નહીં' જેવી સ્પષ્ટ ચેતવણી લગાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ 'Coldrif' સિરપમાં આ FDC હોવા છતાં શ્રીસન ફાર્માએ લેબલ પર કોઈ ફેરફાર નહોતો કર્યો. આનું પરિણામ એવું થયું કે ડૉક્ટરો અને માતા-પિતાઓએ અજાણતા નાના બાળકોને આ સિરપ આપ્યો, જેમાંથી કિડની ફેઇલ્યોર જેવી જટિલતા થઈ. તામિલનાડુના લેબ ટેસ્ટમાં સિરપમાં 48.6% ડાયઈથિલીન ગ્લાયકોલ (DEG) મળ્યું, જે એન્ટી-ફ્રીઝ અને બ્રેક ફ્લુઈડમાં વપરાય છે અને તેના સેવનથી કિડની ફેઇલ્યોર અને મોત થાય છે.
ADVERTISEMENT
મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં 11 બાળકોના મોત અને રાજસ્થાનમાં 3ના કુલ 14 મોતના કિસ્સાઓએ લાપરવાહીના અનેક સ્તરો ઉજાગર કર્યા છે. નિર્માતા કંપનીએ CDSCOના આદેશનું પાલન ન કર્યું, જે Drugs And Chmist Act, 1940નું સીધું ઉલ્લંઘન છે. રાજ્ય પ્રાધિકરણોએ નબળી નિગરાની કરી, જેના કારણે વિષાક્ત સિરપ બજારમાં પહોંચ્યું. ઉપરાંત, ડૉક્ટરોએ પ્રિસ્ક્રિપ્શન પ્રોટોકોલનું પાલન ન કર્યું, છિંદવાડાના એક ડૉક્ટરને તાજેતરમાં અટકાયત કરવામાં આવ્યા, જેણે નાના બાળકોને આ સિરપ પ્રસક્રાઇબ કરી હતી. સૂત્રો અનુસાર, આ FDCવાળા અન્ય કેટલાક નિર્માતાઓ પણ તપાસના દાયરામાં છે, જેમાં GMP સર્ટિફિકેશનની અભાવ પણ જોવા મળ્યો છે.

ADVERTISEMENT
આ હાથસાએ ભારતની વિભાજિત દવા નિયમન વ્યવસ્થા પર ફરીથી ચર્ચા શરૂ કરી છે, જ્યાં કેન્દ્રીય આદેશોની રાજ્ય અને કંપનીઓ દ્વારા અવગણના થાય છે. જાણીતા જાહેર આરોગ્ય કાર્યકર્તા અને લેખકએ સોશિયલ મીડિયા પર લખ્યું કે તાજેતરમાં લોકસભામાં પસાર થયેલા 'જન વિશ્વાસ 2023' બિલએ ઔદ્યોગિક માંગો પૂરી કરી છે. આ બિલ હેઠળ, જો કોઈ ખરાબ દવાથી શારીરિક નુકસાન થાય, તો કંપની પર કોઈ સજા નહીં થાય. Pharmacy Act, 1948 ની કલમ 42 હેઠળ ફાર્માસિસ્ટને 'દવા તૈયાર કરવી, મિશ્ર કરવી કે વિતરણ કરવું'ની જવાબદારી હતી, જેમાં 6 મહિનાની જેલની જોગવાઈ હતી. પરંતુ આ બિલએ તેને અપરાધમુક્ત બનાવી દીધું, જેમાં હવે માત્ર 1 લાખ રૂપિયાનો દંડ લગે છે. આ પગલાથી દવા ઉદ્યોગને છૂટ મળી છે, જે બાળકોની સુરક્ષાને જોખમમાં મૂકે છે.
વધુમાં વાંચો: વનડેમાં તોફાની બેટિંગ, એક મેચમાં 46 છગ્ગા, અસંભવ વર્લ્ડ રેકોર્ડ ક્યારેય નહી તૂટે!
ADVERTISEMENT
મધ્ય પ્રદેશ સરકારે 4 ઓક્ટોબરે 'Coldrif' અને કંપનીના તમામ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો, જ્યારે તામિલનાડુ, કેરળ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાને પણ બેન કર્યું. CDSCOએ તામિલનાડુ FDAને કંપની વિરુદ્ધ સૌથી કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, તામિલનાડુ, MP અને મહારાષ્ટ્રમાં ૧૯ નમૂનાઓની તપાસ ચાલુ છે. MP મુખ્યમંત્રી મોહન યાદવે મૃતક પરિવારોને 4 લાખ રૂપિયાનું વળતર અને સારવારના ખર્ચની જવાબદારી લીધી છે. આ હાથસાએ દર્શાવ્યું કે નબળી નિગરાની અને નિયમોની અવગણના કેટલી મોંઘી પડે છે. જાહેર આરોગ્યને મજબૂત બનાવવા માટે કડક કાયદા અને તીવ્ર તપાસની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવું ન બને.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.