બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:24 PM, 22 October 2025
Barak 8 Missile: પીએમ નરેન્દ્ર મોદી આઇએનએસ વિક્રાંત પર જ્યા ઉભા રહ્યા હતા, ત્યાં બરાક-8 SAM લોન્ચર્સ છે. વિક્રાંતના 32 VLS સેલ તેને વધારાના ડિસ્ટ્રોયર જેટલી તાકાત આપે છે. આ મિસાઇલની રેન્જ 100 કિમી, સ્પીડ 2500 કિમી/કલાક અને ઊંચાઈ 20 કિમી છે. ઇઝરાયલ અને ભારત દ્વારા સંયુક્ત રીતે આ બનાવવામાં આવી છે. આ મિસાઇલ દુશ્મનના વિમાનો અને મિસાઇલોનો નાશ કરી શકે છે.
ADVERTISEMENT
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ આઇએનએસ વિક્રાંતની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ જહાજ પર ઉભા હતા, ત્યાં બરાક-8 સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ (SAM) માટે લોન્ચર્સ છે. આ મિસાઇલ ભારતના હવાઈ સંરક્ષણમાં એક શક્તિશાળી હથિયાર છે. વિક્રાંત જેવા વિમાનવાહક જહાજ માટે પોતાની હવાઈ સંરક્ષણ પ્રણાલી હોવી દુર્લભ છે. ચાલો આ મિસાઇલની પુરી કહાની, તેની તાકાત અને વિક્રાંત માટે તેનું મહત્વ જાણીએ.
Highlights from INS Vikrant, including the Air Power Demo, a vibrant cultural programme and more… pic.twitter.com/Br943m0oCC
— Narendra Modi (@narendramodi) October 20, 2025
ADVERTISEMENT
પીએમ મોદીની મુલાકાત અને મિસાઇલ સ્થાન
પીએમ મોદી વિક્રાંતમાં સવાર થયા અને જહાજની ક્ષમતાઓનું મૂલ્યાંકન કર્યું. તેઓ જહાજના ડેક પર ઉભા રહ્યા, જ્યાં વર્ટિકલ લોન્ચ સિસ્ટમ (VLS) લોન્ચર્સ સ્થિત છે. આ લોન્ચર્સ બરાક-8 મિસાઇલો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. વિક્રાંતમાં કુલ 32 VLS સેલ છે, જેનો ઉપયોગ હવાઈ સંરક્ષણ માટે થાય છે. આ સિસ્ટમ જહાજને દુશ્મન વિમાનો, મિસાઇલો અને ડ્રોનથી સુરક્ષિત કરે છે. પીએમની મુલાકાત વિક્રાંતની ક્ષમતાઓને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાની તક હતી.
ADVERTISEMENT

બરાક-8 મિસાઇલ શું છે?
ADVERTISEMENT
બરાક-8 એ ઇઝરાયલ અને ભારત દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલ એક અદ્યતન સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે. બરાકનો અર્થ "વીજળીનો ચમકારો" થાય છે. આ મિસાઇલ હવામાં ઉડતા દુશ્મનને નિશાન બનાવે છે. તે વિક્રાંત પર VLS થી લોન્ચ કરવામાં આવે છે, જે મિસાઇલને સીધી ઉપર તરફ ફેકે છે.
આ મિસાઇલનો ઉપયોગ નૌકાદળના જહાજો, કોસ્ટ ગાર્ડ અને સેના માટે પણ થાય છે. ભારતે તેને "મિસાઇલ ફોર શિપ" પ્રોજેક્ટ હેઠળ બનાવ્યુ છે. બરાક-8 ની અનોખી ખાસિયત તેની સક્રિય રડાર હોમિંગ સિસ્ટમ છે - એટલે કે તે આપમેળે દુશ્મનને શોધી કાઢે છે અને તેનો નાશ કરે છે.
ADVERTISEMENT
From the Air Power Demo at INS Vikrant! pic.twitter.com/XvrFL9peOK
— Narendra Modi (@narendramodi) October 20, 2025
બરાક-8 ની તાકાત
ADVERTISEMENT
બરાક-8 ની તાકાત જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. અહીં કેટલાકી મુખ્ય બાબતો જાણો
રેન્જ: 70 થી 100 કિમી. આનો અર્થ એ છે કે તે 100 કિમીના અંતરેથી દુશ્મનના વિમાન અથવા મિસાઇલનો નાશ કરી શકે છે.
ઝડપ: 2500 કિમી/કલાક. તે એટલું ઝડપી છે કે દુશ્મનને બચવાનો મોકો મળતો નથી.
ઊંચાઈ: તે 20 કિમી સુધી ઉડી શકે છે. આ હાઇ-લેવલ હુમલાઓ સામે પણ રક્ષણ પૂરું પાડે છે.
વજન અને કદ: આશરે 275 કિગ્રા વજન, 4.5 મીટર લંબાઇ. તે હલકું છતાં ઘાતક છે.
આ મિસાઈલ એકસાથે અનેક લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. વિક્રાંત પર 32 સેલ હોવાથી 32 મિસાઈલો તૈનાત કરી શકાય છે. આ વધારાના ડિસ્ટ્રોયર અથવા ફ્રિગેટની સમકક્ષ પ્રદાન કરે છે.

આ પણ વાંચોઃ હવામાન / દેશના આ શહેરોમાં હવા બની ‘ખતરનાક’, દિલ્હી-NCR કરતા પણ વધુ પ્રદૂષિત, જુઓ યાદી
INS વિક્રાંત: સ્વદેશી તાકાતનું પ્રતીક
INS વિક્રાંત એક એરક્રાફ્ટ કેરિયર છે, જે સંપૂર્ણપણે ભારતમાં બનેલ છે. આ વિશાળ 40,000 ટનનું જહાજ 30 નોટ (55 કિમી/કલાક) ની ઝડપે મુસાફરી કરી શકે છે. વિક્રાંત 26 ફાઇટર જેટ (MiG-29K) અને 8 હેલિકોપ્ટર લઈ જઈ શકે છે. પરંતુ તેની સાચી તાકાત બરાક-8 જેવી મિસાઈલોમાં રહેલી છે.
વિક્રાંતની VLS સિસ્ટમ હિંદ મહાસાગરમાં ભારતના સંરક્ષણને મજબૂત બનાવે છે. દુશ્મનના હુમલાઓ સામે રક્ષણ આપવા ઉપરાંત તે હુમલા પણ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.