બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સોનમ રઘુવંશીનું 'યોની પૂજા' મંદિર કનેક્શન સામે આવતાં લોકો છળી મર્યાં, રાજા મર્ડરમાં તદ્દન નવું
Last Updated: 10:51 AM, 12 June 2025
હાલ દેશભરમાં સોનમ રઘુવંશી ચર્ચાની એરણે ચઢી છે. ઈન્દોરની સોનમે મેઘાલયના શિલોંગમાં હનીમૂન પર લઈ જઈને પતિ રાજા રઘુવંશીનું ખૌફનાક મર્ડર કરી નાખ્યું હતું. આ આખો મામલો સામે આવી ગયો છે. સોનમ રઘુવંશીની અનેક વાતો સામે આવી રહી છે જેમાં વધુ એકનો ઉમેરો થયો છે.
ADVERTISEMENT
કામાખ્યા મંદિરના દર્શન કરવાનો પ્લાન
મેઘાલયના શિલોંગમાં પતિની હત્યા કરતા પહેલાં સોનમે આસામના વિશ્વ વિખ્યાત કામાખ્યા મંદિરના દર્શન કરવાનો પ્લાન ગોઠવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કામાખ્યા મંદિરમાં યોની પૂજા થાય છે. સોનમ અહીં જવા માગતી હતી અને સોનમના કહેવાથી રાજાએ ટીકિટ પણ બુક કરાવી લીધી હતી.
ADVERTISEMENT
સોનમ અને રાજ પાંચ મહિનાથી પ્રેમમાં
ADVERTISEMENT
સોનમ અને રાજ પાંચ મહિનાથી પ્રેમમાં હતા. રાજે કબૂલ્યું કે સોનમ સાથે તેનું અફેર 4 થી 5 મહિનાનું હતું. સોનમ પ્રેમ લગ્ન કરી શકતી ન હતી કારણ કે તેના પિતા હૃદયરોગના દર્દી હતા. તેના પિતા સમાજમાં લગ્ન કરવા માંગતા હતા, તેથી તે રાજા સાથે લગ્ન કરવા સંમત થઈ ગઈ. તેણીએ પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે લગ્ન પછી, તે રાજાને મારી નાખશે અને રાજ સાથે રહેવાનું શરૂ કરશે. સોનમે રાજને કહ્યું હતું કે જ્યારે હું વિધવા થઈશ, ત્યારે તું મારી સાથે લગ્ન કરી શકે છે. પછી મારો પરિવાર પણ અમારા લગ્ન માટે સંમત થશે અને પછી બન્નેએ લગ્ન કરી લીધા અને સોનમે મેઘાલયમાં શિલોંગમાં હનીમૂન પર લઈ જઈને રાજાની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.