બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / "રાહુલ ગાંધી ઘણી વાર નક્સલવાદી સમર્થકો સાથે જોવા મળ્યા", લોકસભામાં બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ
Last Updated: 11:14 PM, 30 March 2026
Amit Shah: લોકસભામાં સોમવારે નક્સલવાદ સામેની લડાઈ પર ચર્ચા થઈ. ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર ઘણી વખત નક્સલવાદી સમર્થકો સાથે જોવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.
ADVERTISEMENT
સોમવારે લોકસભામાં દેશને વામપંથી ઉગ્રવાદથી મુક્ત કરવાના મુદ્દા પર નિયમ 193 હેઠળ ચર્ચા થઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ચર્ચામાં ભાગ લીધો અને ભાષણ આપ્યું. લોકસભાને સંબોધતા અમિત શાહે જાહેર કર્યું કે દેશ હવે નક્સલવાદ મુક્ત થયો છે. તેમણે કહ્યું કે બંધારણને નિશાન બનાવનારા નક્સલીઓના દિવસો પૂરા થઈ ગયા છે. પોતાના સંબોધન દરમિયાન અમિત શાહે રાહુલ ગાંધી પર પણ નિશાન સાધતા કહ્યું કે રાહુલ ગાંધીને ઘણી વખત નક્સલવાદી સમર્થકો સાથે જોવામાં આવ્યા છે.
અમિત શાહે શું કહ્યું?
ADVERTISEMENT
ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે "રાહુલ ગાંધીને ઘણી વખત નક્સલવાદી સમર્થકો સાથે જોવામાં આવ્યા છે. તેમણે નક્સલવાદી સમર્થકો સાથે સ્ટેજ શેર કર્યું હતું. તેમણે નક્સલવાદને ટેકો આપ્યો હતો. રાહુલ ગાંધીએ નક્સલવાદી હિડમાની મારી નખાઇ તેના વિરુદ્ધ પ્રદર્શનનો વીડિયો શેર કર્યો હતો. મનમોહન સિંહ સરકાર દરમિયાન કોંગ્રેસ નક્સલવાદીઓને બચાવવામાં વ્યસ્ત હતી."
કોંગ્રેસના નેતાઓ નક્સલી સાથે રહી રહીને પોતે નક્સલવાદી બની ગયા
ADVERTISEMENT
અમિત શાહે ભારતમાં નક્સલવાદ માટે કોંગ્રેસ અને ડાબેરી વિચારધારાને દોષી ઠેરવ્યા. અમિત શાહે જણાવ્યું હતું કે 1970 થી 2004 સુધી ચાર વર્ષને છોડીને સંપુર્ણ સમય કોંગ્રેસે દેશ પર શાસન કર્યું. આ દરમિયાન નક્સલવાદની વિચારધારા ખીલી અને ફેલાઈ. અમિત શાહે જણાવ્યું હતું કે શાસક પક્ષના સમર્થન વિના નક્સલવાદનો વિકાસ અશક્ય હતો. અમિત શાહે જણાવ્યું હતું કે નક્સલવાદીઓ સાથે રહીને કોંગ્રેસના નેતાઓ પોતે નક્સલવાદી બન્યા. કોંગ્રેસે ચૂંટણીમાં આનો જવાબ આપવો પડશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / "જે હથિયાર ઉપાડશે તેને કિંમત ચૂકવવી પડશે," લોકસભામાં "નક્સલમુક્ત ભારત" પર ચર્ચા દરમિયાન બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ
'ગોળીઓનો જવાબ ગોળીઓથી આપવામાં આવશે'
ADVERTISEMENT
લોકસભામાં નક્સલવાદ સામેની લડાઈ પર બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "અમારી સરકારની નીતિ છે કે ફક્ત તે લોકો સાથે જ વાતચીત કરવામાં આવશે જેઓ પોતાના હથિયારો હેઠા મુકશે. જેઓ ગોળી ચલાવશે તેમને ગોળીઓથી જવાબ આપવામાં આવશે. આપણે લોકશાહીમાં રહીએ છીએ. આપણે આ દેશના બંધારણને અપનાવ્યું છે. આ સરકાર કોઈની ધમકીઓથી ડરશે નહીં. આ એવી સરકાર છે જે દરેકને ન્યાય આપે છે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.