બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:01 AM, 23 August 2025
શુક્રવારે મોડી રાત્રે હોશિયારપુર-જલંધર રોડ પર એક એલપીજી ટેન્કરમાં આગ લાગતાં બે લોકોના મોત થઈ ગયા અને અનેક લોકો ઘાયલ છે. પોલીસે જણાવ્યું કે આગ ઝડપથી ફેલાઈ હતી અને મંડિયાલા અડ્ડા વિસ્તારની આસપાસ લગભગ 15 દુકાનો અને ચાર-પાંચ રહેણાંક મકાનોને આગે લપેટમાં લઈ લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી.
ADVERTISEMENT
#WATCH | A massive fire broke out in Mandiala village of Hoshiarpur in Punjab. According to Deputy Commissioner Aashika Jain, it is suspected that the fire was caused by a road accident in an industrial area involving an LPG tanker, and one casualty has been reported. Fire… pic.twitter.com/JMZYi4VT3J
— ANI (@ANI) August 22, 2025
સિવિલ સર્જન પવન કુમારે જણાવ્યું હતું કે હોશિયારપુર સિવિલ હોસ્પિટલમાં બે વ્યક્તિઓને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા, જ્યારે 18 થી 20 ઘાયલોને દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ગંભીર રીતે દાઝી ગયેલા પાંચથી છ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
#WATCH | Hoshiarpur, Punjab | At the incident spot where a fire broke out in Mandiala village, Punjab Minister Ravjot Singh says, "The situation is such that it cannot be described. A very tragic accident has happened... It is not yet known how many people are missing. People are… https://t.co/1jgGIZ0i3b pic.twitter.com/IVWi9ArEis
— ANI (@ANI) August 22, 2025
કાર સાથે અથડાયા બાદ ટેન્કરમાં લાગી આગ
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે, શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે કાર સાથે અથડાયા બાદ ટેન્કરમાં આગ લાગી ગઈ. આગ બુઝાવવા માટે તાત્કાલિક ફાયર એન્જિન અને એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. પંજાબના મંત્રી રવજોત સિંહ મંડિયાલા ગામમાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે પરિસ્થિતિ એવી છે કે તેનું વર્ણન કરી શકાતું નથી. ખૂબ જ દુઃખદ અકસ્માત થયો છે. હજુ સુધી ખબર નથી કે કેટલા લોકો ગુમ છે. લોકો કહી રહ્યા છે કે એક ટેન્કરે એક કારને ટક્કર મારી હતી, ત્યારબાદ ગેસ લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો. આગ ઘણી ફેલાઈ ગઈ છે.

ADVERTISEMENT
સિવિલ સર્જન અને વરિષ્ઠ અધિકારીઓ વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્રે જનતાને અકસ્માત સ્થળની મુલાકાત લેવાનું ટાળવા અને ચાલુ રાહત કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી છે.
આ પણ વાંચો: જાપાન અને ચીનના પ્રવાસે જશે વડાપ્રધાન મોદી, સામે આવી ગઈ તારીખો
ADVERTISEMENT
આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા, કેબિનેટ મંત્રી, ધારાસભ્ય અને ડેપ્યુટી કમિશનર આશિકા જૈને ભારપૂર્વક જણાવ્યું કે સરકાર અને વહીવટીતંત્ર પીડિતો અને તેમના પરિવારો સાથે સંપૂર્ણ રીતે ઉભા છે અને તેમને સંપૂર્ણ તબીબી સંભાળ અને જરૂરી સહાય સુનિશ્ચિત કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.