બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:32 PM, 13 February 2026
PMO Seva Teerth: પીએમ નરેન્દ્ર મોદીઆ આજે શુક્રવારના રોજ સેવા તીર્થ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. આજથી પીએમ નરેન્દ્ર મોદીની ઓફિસ 'સેવા તીર્થ' માં શિફ્ટ થઈ ગઈ છે. હવે અંહિયા તેઓ તેમનું નવું કાર્યાલય સંચાલિત કરશે. આ પગલાંથી દેશનું પાવર સેન્ટરબદલાઈ જશે. અને નવા પ્રધાનમંત્રી કાર્યાલયની શરૂઆત થશે. આજે બપોરે 1:30 વાગ્યે પીએમ મોદીએ સેવા તીર્થ બિલ્ડિંગ કોમ્પ્લેક્સના નામનું અનાવરણ કર્યું હતું.
ADVERTISEMENT
Delhi: PM Narendra Modi unveils the name of complex housing PMO, NSCS and Cabinet Secretariat- ‘Seva Teerth’
— ANI (@ANI) February 13, 2026
(Pics Source: DD) pic.twitter.com/eEpEGnO5jG
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ 'સેવા તીર્થ' ભવન પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિસરમાં હવે પ્રધાનમંત્રી કાર્યાલય PMO, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય NSCS અને કેબિનેટ સચિવાલય શિફ્ટ થઈ ગયા છે. વર્ષ 2014થી મોદી સરકારે સતત પગલાં ઉઠાવ્યા છે જેથી ભારત તેના વસાહતી ભૂતકાળના પ્રતીકોથી દૂર થઈને આધુનિક, ભારતીય નાગરિકોની જનભાવનાના અનુસાર શાસન વ્યવસ્થાને આગળ કરી શકે.
ADVERTISEMENT
अब PMO का नया पता - सेवातीर्थ! 🇮🇳
— MyGov Hindi (@MyGovHindi) February 13, 2026
जहाँ सेवा ही सर्वोपरि है और राष्ट्रहित ही सर्वोच्च संकल्प।
देखिए यह विशेष झलक... 🎥 #SevaTeerth #NewIndia #NationFirst pic.twitter.com/p5Np9OAo5j
સરકારે સાઉથ બ્લોકને સેવ તીર્થ, સેન્ટ્રલ સચિવાયલને કર્તવ્ય ભવન, રાજપથને કર્તવ્ય પથ, રેસ કોર્સ રોડને લોક કલ્યાણ માર્ગ અને રાજ ભવન કે રાજ નિવાસને લોક ભવન ને લોક નિવાસમાં ફેરવી દીધા છે. આ ફેરફાર માત્ર પ્રતીકાત્મક નથી પણ પ્રશાસનિક કાર્યો અને સાર્વજનિક વિચારમાં નવા નજરીયાને પણ સામે રાખે છે.
ADVERTISEMENT
આઝાદી પછી અત્યાર સુધી રાયસીના હિલ સ્થિત પ્રધાનમંત્રી કાર્યાલય સાથે ઘણી યાદો જોડાયેલી છે. આઝાદી પછી આવેલી દરેક કસોટીઓથી લઈને સતત વિકાસ પામતા ભારત ની તે સાક્ષી રહયું છે. આ પ્રધાનમંત્રી કાર્યાલયમાં પીએમ મોદી છેલ્લી કેબિનેટ બેઠક કરશે. જે પછી તેઓ સેવ તીર્થ ભવનમાં શિફ્ટ થશે. આજે 13 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ બપોરે 1:30 વાગ્યા આસપાસ પીએમ સેવા તીર્થનું ઉદઘતાં કરશે. જે પછી વડાપ્રધાન ઔપચારિક રીતે સેવા તીર્થ, કર્તવ્ય ભવન-1 અને 2 નું પણ ઉદઘતાં કરશે. સાંજે લગભગ 6 વાગ્યા આસપાસ સેવ તીર્થમાં આયોજન કરવામાં આવેલા એક સાર્વજનિક કાર્યક્રમને પણ સંબોધન કરશે.
સેવાતીર્થમાં પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય હશે. જે પહેલા અલગ અલગ જગ્યાએ હતા. 1900ના શરૂઆતના દશકમાં બ્રિટિશ આર્કિટેક્ટ હર્બર્ટ બેકરે બ્રિટિશ શાસનની જરૂરિયાત મુજબ તેને ડિઝાઇન કર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT

સરકારની યોજકના છે કે નોર્થ સાઉથ બ્લોકની ઐતિહાસિક ઇમારતને યુગે યુગેન ભારત નેશનલ મ્યુઝિયમમાં બદલી દેવામાં આવે. અને વિશ્વ સ્તરના મ્યુઝિયમના રૂપમાં વિકસિત કરવામાં આવશે. જ્યાં ભારતની સભ્યતાને બતાવાશે. જેમાં લગભગ 25 થી 30 હજાર કલાકૃતિઓને પ્રદર્શનમાં મૂકવામાં આવશે. આ દુનિયાના સૌથી મોટા મ્યુઝિયમ માંથી એક હોવાની સંભાવના છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.