બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:22 AM, 12 December 2025
Bhubaneswar Fire: ગોવામાં નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના કરૂણ મોત નિપજ્યાં હતા. આ ઘટનાને હજુ એક અઠવાડિયુ પણ નથી વીત્યું અને ભુવનેશ્વરના એક નાઇટક્લબમાં ભીષણ આગ લાગી ગઈ. માહિતી પ્રમાણે, શુક્રવારે 12 ડિસેમ્બર 2025એ ભુવનેશ્વરના સત્ય વિહાર વિસ્તારમાં એક નાઈટક્લબમાં ભીષણ આગ લાગી ગઈ. આગ લાગ્યા પછી ઇમારતમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો. જોકે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
ADVERTISEMENT
#WATCH | Bhubaneswar, Odisha | Fire broke out at a hotel in Bhubaneswar. Firefighting operations are underway. Further details awaited.
— ANI (@ANI) December 12, 2025
Visuals source: Fire Department pic.twitter.com/lg89txfxsx
આગની જ્વાળાઓથી માત્ર નાઈટક્લબને જ નુકસાન નથી થયું, તેની સાથે બાજુમાં આવેલી ફર્નિચરની દુકાન પણ આગળની ચપેટમાં આવી ગઈ. ફર્નિચરની દુકાનમાં લાકડા અને સ્પોન્જ જેવી વસ્તુઓ હોવાના કારણે આગ દુકાનમાં જડપથી ફેલાઈ ગઈ, જેના કારણે નોંધાપાત્ર નુકસાન થયું છે. જો કે આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.
ADVERTISEMENT
સ્થાનિકોએ જણાવ્યું કે આગ ફાટી નીકળતાં જ પવનની દિશામાં બદલાવાને કારણે ધુમાડો આખા બજાર વિસ્તારમાં ફેલાઈ ગયો, જેને કારણે થોડી મિનિટો માટે દૃશ્યતા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા. ફાયર બ્રિગેડે તાત્કાલિક મોરચો સંભાળ્યો અને આગને અન્ય દુકાનો અને રહેણાંક વિસ્તારોમાં ફેલાતી અટકાવવાના પ્રયાસો શરૂ કરી દીધા. હાલમાં રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

ADVERTISEMENT
આ ઘટના ગોવામાં નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગના થોડા દિવસો પછી જ ઘટી છે. જણાવી દઈએ કે ગોવામાં નાઇટક્લબમાં લાગેલી આગમાં 25 લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટના બાદ, ઓડિશા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ (OFES) એ 100થી વધુ બેઠક ક્ષમતા ધરાવતા તમામ રેસ્ટોરન્ટ્સ અને સ્વતંત્ર સંસ્થાઓનું રાજ્યવ્યાપી ઓડિટ કરવાનો આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું લાતુરમાં નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ગોવાની ઘટના અંગે વાત કરીએ તો તંત્રએ કલબના માલિકો સામે તાત્કાલિક કાર્યવાહી કરી અને નાઇટ ક્લબના માલિકો, લુથરા બંધુઓની થાઈલેન્ડમાં ધરપકડ કરવામાં આવી છે. તેમને ગોવા લાવવાની તૈયારી ચાલી રહી છે. આ ઘટના પછી લુથરા બંધુઓ સૌરભ અને ગૌરવના પાસપોર્ટ પણ રદ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.