બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:32 AM, 14 July 2025
પોલીસે જણાવ્યું હતું કે છ દિવસ પહેલા ગુમ થયેલી દિલ્હી યુનિવર્સિટીની 19 વર્ષીય વિદ્યાર્થીની યમુના નદીમાંથી મૃત હાલતમાં મળી આવી છે. સ્નેહા દેબનાથ નામની વિદ્યાર્થીની ત્રિપુરાની રહેવાસી હતી. તેના પરિવારે તેના મૃતદેહની ઓળખ કરી લીધી છે. પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી છે.
ADVERTISEMENT
ટેક્સી લઈને સિગ્નેચર બ્રિજ ગઈ હતી
છ દિવસ પહેલા ગુમ થયેલી યુવતીના પરિવારજનો ત્રિપુરામાં તેની શોધ કરી રહ્યા હતા. તેણી 7 જુલાઈના રોજ ઉત્તર દિલ્હીના સિગ્નેચર બ્રિજ જવા માટે ટેક્સી લઈને ગઈ હતી.
ADVERTISEMENT
શું હતું આપઘાતનું કારણ
પોલીસે જણાવ્યું હતું કે સ્નેહાએ એક હાથથી લખેલી નોંધ છોડી હતી, જેમાં આત્મહત્યા કરવાનો ઇરાદો દર્શાવવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે તે તેના અભ્યાસથી નારાજ નહોતી, તેણીના દુઃખનું કારણ તેના પરિવાર સાથે જોડાયેલું હતું. તપાસ દરમિયાન, પોલીસે ટેકનિકલ દેખરેખ દ્વારા સ્નેહાની ગતિવિધિઓ શોધી કાઢી અને તેનું છેલ્લું જાણીતું સ્થાન સિગ્નેચર બ્રિજ હોવાનું પુષ્ટિ આપી.
ADVERTISEMENT
યમુના નદીમાંથી મળી લાશ
ઉત્તર દિલ્હીના મજનૂ કા ટીલામાં સિગ્નેચર બ્રિજથી લગભગ 10 કિમી દૂર ગીતા કોલોનીમાં ફ્લાયઓવર પાસે યમુના નદીમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. કેબ ડ્રાઇવરે તેણીને સ્થળ પર છોડી દીધી હતી તેણે નિવેદનને સમર્થન આપ્યું છે. કેટલાક લોકોએ એવું કહ્યું કે તેઓએ એક છોકરીને પુલ પર ઉભી રહેલી અને પછીથી સ્થળ પરથી ગાયબ થતી જોઈ હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO: ભાજપના નેતાએ સ્મશાનમાં રંગ મહેલ ખડો કર્યો? હાઇવે બાદ હવે સ્મશાનમાં રંગરેલિયા
આપઘાત પહેલાં મિત્રોને ઈમેલ મોકલ્યાં
ADVERTISEMENT
પોલીસે જણાવ્યું હતું કે સ્નેહાએ 7 જુલાઈની વહેલી સવારે તેના નજીકના મિત્રોને ઈમેલ અને સંદેશા મોકલ્યા હતા. તેના મિત્રોએ તપાસકર્તાઓને જણાવ્યું હતું કે તે છેલ્લા કેટલાક મહિનાઓથી પરેશાન અને ભાવનાત્મક રીતે વ્યગ્ર હતી. તેના પરિવાર અને તેના કેટલાક મિત્રોએ સિગ્નેચર બ્રિજ વિસ્તારમાં દેખરેખ માળખા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેણી ગુમ થઈ ત્યારે સિગ્નેચર બ્રિજ પર અથવા તેની નજીકના કોઈ પણ સીસીટીવી કેમેરા કામ કરતા ન હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.