બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'આ હાઇડ્રોજન બોમ્બ નથી....', લાઇવ PCમાં જ રાહુલ ગાંધીએ ફોડ્યો વોટર લિસ્ટમાં ગરબડ ગોટાળાનો ભાંડો
Last Updated: 11:43 AM, 18 September 2025
Rahul Gandhi Press Conference: આજે એટલે કે ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વોટ ચોરીના મુદ્દે ઇલેક્શન કમિશન અને BJP પર નિશાન સાધ્યું. બિહારની ચુંટણી પહેલા ફરી એકવાર રાહુલે વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો છે. ઇલેક્શન કમિશન પર ગંભીર આરોપ લગાવતા રાહુલે કહ્યું કે વોર લિસ્ટમાંથી ઘણા લોકોના નામ કમી કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રાહુલે કહ્યું કે
ADVERTISEMENT
"મત ચોરી વિશે હું જે કંઈ પણ કહી રહ્યો છું, તે ખૂબ જ જવાબદારીથી કહી રહ્યો છું. મારી પાસે આના પુરાવા છે." તેમણે કહ્યું કે ઘણા લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે."
રાહુલે વધુમાં કહ્યું કે ,
ADVERTISEMENT
" સૌથી પહેલા તો આ હાઇડ્રોજન બોમ્બ નથી, હાઇડ્રોજન બોમ્બ આવી રહ્યો છે. આ દેશના યુવાનોને ચૂંટણીમાં કેવી રીતે ગોટાળા થઈ રહ્યા છે તે બતાવવા અને સમજાવવા માટે આ એક વધુ સીમાચિહ્નરૂપ છે."
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ કહ્યું, હું નક્કર પુરાવા સાથે મારો મુદ્દો રજૂ કરી રહ્યો છું. દેશના દલિતો અને ઓબીસી તેમના નિશાના પર છે. હું મારા દેશ અને મારા બંધારણને પ્રેમ કરું છું, અને હું તેનું રક્ષણ કરીશ. રાહુલે દાવો કર્યો હતો કે, કર્ણાટકના આલંદમાં 6,018 મત રદ કરવામાં આવ્યા હતા. બસ એટલું જ કે આ 6,018 મતો કાઢી નાખતી વખતે આ બાબત આકસ્મિક રીતે બહાર આવી ગઈ. એક બૂથ-લેવલ ઓફિસરે જોયું કે, તેના કાકાનો મત કાઢી નાખવામાં આવ્યો હતો. તેણે તપાસ કરી કે તેના કાકાનો મત કોણે કાઢી નાખ્યો અને ખબર પડી કે તે પાડોશી છે. જ્યારે તેણે તેના પાડોશીને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, 'મેં કોઈ મત કાઢી નાખ્યા નથી.' આનો અર્થ એ છે કે, ન તો મત કાઢી નાખનાર વ્યક્તિ કે ન તો જેનો મત કાઢી નાખવામાં આવ્યો હતો તે વ્યક્તિ તેના વિશે કંઈ જાણતો હતો.
ADVERTISEMENT
ચૂંટણી પંચ પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે જે લોકો વિરોધ પક્ષને મત આપે છે તેમના મત રદ કરવામાં આવી રહ્યા છે. સોફ્ટવેર દ્વારા મત કાઢી નાખવાની અરજીઓ કરવામાં આવી છે. કર્ણાટકની બહારના ફોન નંબરોનો ઉપયોગ મત કાઢી નાખવા માટે કરવામાં આવ્યો છે. સૂર્યકાંત નામના વ્યક્તિએ 14 મિનિટમાં 12 મત કાઢી નાખવાના ફોર્મ ભર્યા. આ દરમિયાન રાહુલે વીડિયો અને લોગો રજૂ કર્યા.
તેમણે કહ્યું આલાંદ કર્ણાટકનો એક મતવિસ્તાર છે. કોઈએ 6018 વોટ્સને કાઢી નાખવાનો પ્રયાસ કર્યો. અમને ખબર નથી કે 2023ની ચૂંટણીમાં આલાંદમાં કેટલા મતો કાઢી નાખવામાં આવ્યા હતા. આ સંખ્યા 6018 કરતા ઘણી વધારે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: 'હું પુરાવા સાથે જ વાતને રજૂ કરું છું', આવતાની સાથે જ રાહુલ ગાંધીના PCમાં પ્રહાર

રાહુલ ગાંધીએ કર્ણાટકના કેટલાક લોકોનું ઉદાહરણ આપ્યું. તેમણે પત્રકાર પરિષદ દરમિયાન તેમાંથી કેટલાકને સ્ટેજ પર બોલાવ્યા. પત્રકાર પરિષદ દરમિયાન એક વ્યક્તિએ કહ્યું
"કુલ 12 નામો કાઢી નાખવામાં આવ્યા છે. મેં ન તો ફોન કર્યો કે ન તો નામ કમી કરવા માટે કોઈ અરજી આપી હતી."
રાહુલે કહ્યું,
" નાગરાજ નામના વ્યક્તિ માટે બે ફોર્મ ભરવામાં આવ્યા છે અને બંને 36 સેકન્ડમાં ભરાઈ પણ ગયા. કોઈ બીજા રાજ્યમાંથી ફોર્મ ભરવા માટે ફોન લાવ્યું હતું, અને આ ફોર્મ તે ફોનનો ઉપયોગ કરીને ભરવામાં આવ્યા હતા."
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.