બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:30 AM, 18 September 2025
Rahul Gandhi Press Conference : કોંગ્રેસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી બિહાર ચૂંટણીને લઈને સતત સક્રિય છે. તેઓ ચૂંટણી પંચ અને સરકાર બંને પર સતત પ્રહારો કરી રહ્યા છે. તેઓ ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવીને હુમલો કરવાનું ચાલુ રાખે છે. થોડા દિવસો પહેલા કોંગ્રેસના સાંસદે "હાઈડ્રોજન બોમ્બ" વિસ્ફોટ કરવાની વાત કરી હતી. રાહુલ ગાંધી 18 સપ્ટેમ્બર, 2025, ગુરુવારના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી મોટું નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ સંબોધતા ચૂંટણીમાં ગોટાળાના આરોપોને લઈ ફરી મોટું નિવેદન આપ્યું હતું. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા.
ADVERTISEMENT
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મત ચોરીના મુદ્દા પર ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે. ગુરુવારે (18 સપ્ટેમ્બર) એક પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ કહ્યું, મત ચોરી વિશે હું જે કંઈ પણ કહી રહ્યો છું, તે ખૂબ જ જવાબદારીથી કહી રહ્યો છું. મારી પાસે આના પુરાવા છે. તેમણે કહ્યું કે ઘણા લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.
રાહુલનો આરોપ, કર્ણાટકના અલાંદમાં 6,018 મતો રદ
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ કહ્યું, હું નક્કર પુરાવા સાથે મારો મુદ્દો રજૂ કરી રહ્યો છું. દેશના દલિતો અને ઓબીસી તેમના નિશાના પર છે. હું મારા દેશ અને મારા બંધારણને પ્રેમ કરું છું, અને હું તેનું રક્ષણ કરીશ. રાહુલે દાવો કર્યો હતો કે, કર્ણાટકના આલંદમાં 6,018 મત રદ કરવામાં આવ્યા હતા.
ચૂંટણી પંચ પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે, જે લોકો વિરોધ પક્ષને મત આપે છે તેમના મત રદ કરવામાં આવી રહ્યા છે. સોફ્ટવેર દ્વારા મત કાઢી નાખવાની અરજીઓ કરવામાં આવી છે. કર્ણાટકની બહારના ફોન નંબરોનો ઉપયોગ મત કાઢી નાખવા માટે કરવામાં આવ્યો છે. સૂર્યકાંત નામના વ્યક્તિએ 14 મિનિટમાં 12 મત કાઢી નાખવાના ફોર્મ ભર્યા. આ દરમિયાન રાહુલે વીડિયો અને લોગો રજૂ કર્યા.
ADVERTISEMENT
કોઈ શક્તિએ સિસ્ટમને હાઇજેક કરી અને મતો કાઢી નાખ્યા
રાહુલ ગાંધીએ કહ્યું, આલંદ કર્ણાટકનો એક વિધાનસભા મતવિસ્તાર છે. ત્યાં કોઈએ 6,018 મતો કાઢી નાખવાનો પ્રયાસ કર્યો હતો. અમને 2023ની ચૂંટણીમાં કાઢી નાખવામાં આવેલા કુલ મતોની સંખ્યા ખબર નથી, પરંતુ તે 6,018 કરતા ઘણી વધારે હશે. બસ એટલું જ કે આ 6,018 મતો કાઢી નાખતી વખતે આ બાબત આકસ્મિક રીતે બહાર આવી ગઈ. એક બૂથ-લેવલ ઓફિસરે જોયું કે, તેના કાકાનો મત કાઢી નાખવામાં આવ્યો હતો. તેણે તપાસ કરી કે તેના કાકાનો મત કોણે કાઢી નાખ્યો અને ખબર પડી કે તે પાડોશી છે. જ્યારે તેણે તેના પાડોશીને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, 'મેં કોઈ મત કાઢી નાખ્યા નથી.' આનો અર્થ એ છે કે, ન તો મત કાઢી નાખનાર વ્યક્તિ કે ન તો જેનો મત કાઢી નાખવામાં આવ્યો હતો તે વ્યક્તિ તેના વિશે કંઈ જાણતો હતો. વાસ્તવમાં, કોઈ અન્ય શક્તિએ સિસ્ટમને હાઇજેક કરી હતી અને આ મતો કાઢી નાખ્યા હતા.
ADVERTISEMENT
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર પ્રહાર
રાહુલ ગાંધીએ ફરી એકવાર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે તેમની પાસે મત કાઢી નાખવાના 100% પુરાવા છે. જોકે કોંગ્રેસના સાંસદે સ્પષ્ટતા કરી કે, તેઓ હાઇડ્રોજન બોમ્બ વિસ્ફોટ કરવાના નથી, તે પછીથી થશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, આદિવાસી, દલિતો અને ઓબીસીના મત કાપવામાં આવ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, કોંગ્રેસ પ્રભુત્વ ધરાવતી બેઠકોને નિશાન બનાવવામાં આવી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમને બંધારણમાં સંપૂર્ણ વિશ્વાસ છે.
ADVERTISEMENT
હું આ મંચ પરથી ફક્ત સત્ય જ બોલીશ : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર એવા લોકોને બચાવી રહ્યા છે જેમણે ભારતીય લોકશાહીને બરબાદ કરી દીધી છે. તેમણે ઉમેર્યું કે, હું આ મંચ પરથી એવું કંઈ નહીં કહું જે 100 ટકા સાચું ન હોય. હું એક એવો વ્યક્તિ છું જે મારા દેશને પ્રેમ કરે છે, મારા બંધારણને પ્રેમ કરે છે, લોકશાહી પ્રક્રિયાને પ્રેમ કરે છે, અને હું તે પ્રક્રિયાનો બચાવ કરી રહ્યો છું. હું અહીં એવું કંઈ નહીં કહું જે 100 ટકા પુરાવા પર આધારિત ન હોય અને જેને તમે ચકાસી ન શકો.
આ પણ વાંચો : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આજે પ્રેસ કોન્ફરન્સ, રાજકીય ગરમાવો વધવાના એંધાણ

આ સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે...
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.