બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:32 AM, 13 July 2025
Chennai Goods Train Caught Fire: ચેન્નઈ પોર્ટથી ડીઝલ લઈને જતી એક માલગાડીમાં તિરુવલ્લુર નજીક આગ લાગી ગઈ. પ્રારંભિક માહિતી અનુસાર, ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને દરમિયાન આગ લાગી ગઈ. ઘટના બાદ તરત જ ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે.
ADVERTISEMENT
A #freight #train #wagon carrying #fuel caught #fire near #Tiruvallur #railway station in #Chennai on Sunday morning, July 13, 2025, causing heavy #smoke. Fire and rescue teams, along with Southern Railway maintenance staff, are working to extinguish the fire.
— durgeshkdubey (@ToolsTech4All) July 13, 2025
रविवार सुबह, 13… pic.twitter.com/ap84BiaiMI
આખરે શું થયું?
ADVERTISEMENT
આ ઘટના તિરુવલ્લુર રેલ્વે સ્ટેશન નજીક બની હતી. આગ પહેલા માલગાડીના એક ટેન્કરમાં લાગી હતી. થોડી જ વારમાં, આગે અન્ય ત્રણ ટેન્કરને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા. ડીઝલ ટેન્કરમાં લાગેલી આગનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ ટેન્કરોમાંથી કેટલી મોટી જ્વાળાઓ નીકળી રહી છે. ચારે બાજુ ધુમાડાના વાદળો છે.
Major fire accident near by my home in tiruvallur railway station 🚉 oil tanker train gets fired almost burning more than hours ! #fire #railway #IndianRailways #Tiruvallur #trainaccident #SouthernRailway #southernrail #chennai pic.twitter.com/0rbnhBEu7s
— arsath ajmal (@ajmalji) July 13, 2025
ADVERTISEMENT
ચાર ડબ્બામાં ભર્યું હતું ડીઝલ
રેલ્વે અધિકારીઓએ જણાવ્યું કે ટ્રેનમાં ડીઝલ ભરેલું હતું અને આગ લાગી ગયેલા ચાર ડબ્બાને બાકીના 48 ડબ્બાને અલગ કરીને હટાવવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આ અકસ્માતને કારણે, ચેન્નઈ-અરક્કોનમ રેલ્વે વિભાગ પર ટ્રેનોની અવરજવર રોકી દેવામાં દેવામાં આવી છે.
ADVERTISEMENT
🚨 Just In: A freight train wagon carrying fuel caught fire near Tiruvallur while heading to #Chennai this morning 🔥🚆
— dpsd (@h311947) July 13, 2025
Thick smoke seen in the area; fire & rescue teams along with Southern Railway staff working to contain it.
Stay safe, Chennai. 🙏#Tiruvallur #TrainFire pic.twitter.com/toVMC0Rt1T
પ્રશાસને ટ્રેનથી દૂર રહેવાની અપીલ કરી
ADVERTISEMENT
સ્થાનિક વહીવટીતંત્ર અને રેલ્વે અધિકારીઓએ લોકોને ઘટનાસ્થળની નજીક ન જવાની અપીલ કરી છે, કારણ કે ટ્રેનમાં ખૂબ જ જ્વલનશીલ સામગ્રી છે. અધિકારીઓએ જણાવ્યું કે આગ લાગવાનું કારણ ટ્રેનનું પાટા પરથી ઉતરી જવું છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે, અને અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
#WATCH | Tamil Nadu: Freight train catches fire near Tiruvallur. Efforts to douse the fire underway. https://t.co/urSEbK1eHf pic.twitter.com/3fv3JnMWLg
— ANI (@ANI) July 13, 2025
ADVERTISEMENT
આસપાસથી હટાવવામાં આવ્યા એલપીજી સિલિન્ડર
જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રતાપે જણાવ્યું કે આગ ઓલવવા માટે ફાયર અને રેસ્ક્યુના ફોમથી સજ્જ ખાસ વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નજીકના રહેણાંક વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને સાવચેતી રૂપે એલપીજી સિલિન્ડર પણ હટાવી દેવામાં આવ્યા છે. રેલ્વે પોલીસ આગના કારણની પ્રારંભિક તપાસમાં રોકાયેલી છે.

આ પણ વાંચો: CM ને રાખડી મોકલો અને 1750 રૂપિયા મેળવો સરકારે કરી નવી જાહેરાત
આગને કારણે ઘણી ટ્રેનો પ્રભાવિત થઈ
દક્ષિણ રેલ્વેએ ટ્વીટ કર્યું કે તિરુવલ્લુર નજીક આગની ઘટનાને કારણે, સલામતીને ધ્યાનમાં રાખીને ઓવરહેડ પાવર સપ્લાય બંધ કરવામાં આવ્યો છે. આ કારણે, ટ્રેન સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મુસાફરોને મુસાફરી કરતા પહેલા અપડેટેડ સ્ટેટસ ચેક કરવાની સલાહ આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.