બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હવે ભક્તો કરી શકશે રામ દરબારના દર્શન, જાણો સમય

અયોધ્યા / હવે ભક્તો કરી શકશે રામ દરબારના દર્શન, જાણો સમય

Priyankka Triveddi

Last Updated: 12:08 PM, 15 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યાથી ભક્તો માટે એક મોત સમાચાર આવ્યા છે. હવે અયોધ્યા રામ લલ્લાના દર્શનાર્થે જતાં ભક્તો સાથે સાથે રામ દરબારના દર્શન પણ કરી શકશે.

શ્રીરામ જન્મભૂમિ મંદિરના પહેલા માળે આવેલું રામ દરબાર શનિવારથી ભક્તો માટે દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રામ મંદિર ટ્રસ્ટ દ્વારા મોડી સાંજે આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. મંદિરમાં આવતા ભક્તોને રામ લલ્લા સાથે રામ દરબારના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમ રામ લલ્લાના દર્શન માટે પાસ આપવામાં આવે છે. તેવી જ રીતે રામ દરબારના દર્શન માટે પણ પાસ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પહેલે માળે બિરાજમાન છે રામ દરબાર

અયોધ્યામાં રામ મંદિરના પહેલા માળે સ્થાપિત રામ દરબાર હવે ભક્તો માટે ખોલવામાં આવ્યો છે. રામ લલ્લાની જેમ જ અહીં પણ દર્શન માટે પાસ લેવા પડશે. રામ દરબારના દર્શનની વ્યવસ્થા શરૂ કરવાનો નિર્ણય શનિવારે મોડી સાંજે લેવામાં આવ્યો હતો. તેથી શનિવારે ફક્ત બે સ્લોટ (સાંજે 5 થી 7 અને રાત્રે 7 થી 9) માટે મર્યાદિત સંખ્યામાં પાસ જારી કરવામાં આવ્યા હતા.

શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દર્શનની પરંપરા હવે એક નવા અને ભવ્ય સ્વરૂપમાં પરિવર્તિત થઈ ગઈ છે. ભક્તો હવે રામ લલ્લાના બાળ સ્વરૂપ જ નહીં. પરંતુ સમગ્ર રામ દરબાર - રાજા રામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના દર્શન કરી શકશે. આ નવી દર્શન વ્યવસ્થા આજથી અમલમાં આવી ગઈ છે. જેના કારણે ભક્તોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દર્શન માટે 6 સ્લોટ, દરેક સ્લોટમાં 300 ભક્તો

દર્શન સુવિધાને વ્યવસ્થિત અને સુગમ બનાવવા માટે રામ મંદિર ટ્રસ્ટે આખા દિવસને છ ભાગમાં વહેંચ્યો છે. દરેક સ્લોટમાં વધુમાં વધુ 300 ભક્તો દર્શન કરી શકશે. દરેક સ્લોટ માટેનો સમય બે કલાક રાખવામાં આવ્યો છે.

આ મુજબ રહેશે ટાઈમ સ્લોટ

  • સવારે 7:00 થી 9:00 વાગ્યા સુધી
  • સવારે 9:00 થી 11:00 વાગ્યા સુધી
  • બપોરે 1:00 થી 3:00 વાગ્યા સુધી
  • બપોરે 3:00 થી 5:00 વાગ્યા સુધી
  • સાંજે 5:00 થી 7:00 વાગ્યા સુધી
  • સાંજે 7:00 થી 9:00 વાગ્યા સુધી

દરેક સ્લોટમાં દર્શન માટે કુલ 300 પાસ

દરેક સ્લોટમાં કુલ 300 પાસ આપવામાં આવશે. આ પાસ બે સંસ્થાઓ, જિલ્લા વહીવટીતંત્ર અને રામ મંદિર ટ્રસ્ટ વચ્ચે વહેંચવામાં આવ્યા છે. બંનેને દરેક સ્લોટ માટે 150-150 પાસ આપવામાં આવ્યા છે.

ram-darbar

પાસની બે શ્રેણીઓ

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર વચ્ચે દરેક સ્લોટ માટે કુલ 150 પાસ ફાળવવામાં આવ્યા છે. આ પાસને બે શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે. દરેક સ્લોટ માટે 300 પાસમાંથી 150 પાસ જિલ્લા વહીવટીતંત્રને અને 150 પાસ ટ્રસ્ટને આપવામાં આવશે. આમાંથી 100 પાસ ખાસ દર્શન માટે અને 50 પાસ સરળ દર્શન માટે હશે. આ પાસ દ્વારા ભક્તો માટે વધુ સારો અને શાંતિપૂર્ણ દર્શન અનુભવ સુનિશ્ચિત કરવામાં આવશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મીડિયા ઇન્ચાર્જ શરદ શર્માએ જણાવ્યું હતું કે

ભક્તોને વધુ સારો અનુભવ આપવાના ઉદ્દેશ્યથી આ નવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ભક્તોને દર્શનનો વ્યવસ્થિત અને આરામદાયક અનુભવ આપવા માટે આ ખાસ પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે રામલલા સાથે સમગ્ર રામ દરબાર દર્શનાર્થીઓને દેખાશે.
Ram-Darbar1

રામ દરબારનો પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ 5 જૂનના રોજ પૂર્ણ થયો હતો. આ પ્રસંગે શ્રી રામના શાહી સ્વરૂપની સાથે, રામ જન્મભૂમિ સંકુલમાં નવા બનેલા આઠ મંદિરોમાં મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામની સાથે, રામ દરબારમાં માતા સીતા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. ટ્રસ્ટ અનુસાર મંદિર સંકુલમાં અન્ય દેવતાઓની પણ સ્થાપના કરવામાં આવી છે. ઈશાન ખૂણામાં ભગવાન શિવ, દક્ષિણપૂર્વમાં ભગવાન ગણેશ, દક્ષિણમાં હનુમાનજી, દક્ષિણ પશ્ચિમમાં સૂર્યદેવ, વાયવ્યમાં ભગવતી દેવી, ઉત્તરમાં માતા અન્નપૂર્ણા.

વધુ વાંચો: મૃતદેહ લઈને જતી એમ્બ્યુલન્સ પિકઅપ સાથે અથડાઈ, પાંચ લોકોના કમકમાટીભર્યા મોત

Vtv App Promotion 2

નાગર શૈલીમાં બનેલ ભવ્ય મંદિર

આ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનેલું છે. તેની લંબાઈ 360 ફૂટ, પહોળાઈ 235 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે. તે 2.77 એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને ત્રણ માળની રચનામાં બનેલું છે. તેમાં કુલ 392 કોતરેલા સ્તંભો, 44 દરવાજા અને હિન્દુ દેવી-દેવતાઓની સમૃદ્ધ શિલ્પકૃતિઓ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ram Janmabhoomi National News Ayodhya Ram Temple
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ