ન્યૂઝ ઉપડેટસ
Last Updated: 08:22 PM, 2 February 2026
Air India: એર ઇન્ડિયાના બોઇંગ વિમાનમાં ફરી એકવાર ફ્યુઅલ સ્વિચની સમસ્યા સામે આવી છે. એરલાઇન્સે જણાવ્યું હતું કે લંડનથી બેંગલુરુ આવતી ફ્લાઇટમાં આ સમસ્યા આવી હતી, જેના કારણે ફ્લાઇટની ઉડાન રોકવામાં આવી છે.
ADVERTISEMENT
એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 વિમાન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. સોમવારે એરલાઇન્સે જણાવ્યુ કે લંડનથી બેંગલુરુ જતી ફ્લાઇટમાં ફ્યુઅલ સ્વિચમાં ખામી જોવા મળી હતી, જેના કારણે ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. એરલાઇન્સે આ ઘટના વિશે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને જાણ કરી હતી, જેણે પછી DGCA ને અન્ય તમામ વિમાનોમાં ફ્યુઅલ સ્વિચનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. એરલાઇન્સે જણાવ્યું હતું કે તમામ વિમાનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં કોઈ ખામી જોવા મળી ન હતી.
આ બાબતે જારી કરાયેલા એક નિવેદનમાં એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, "અમને માહિતી મળી છે કે અમારા એક પાઇલટે બોઇંગ 787-8 વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચમાં સંભવિત ખામીની જાણ કરી છે. પ્રારંભિક માહિતી મળ્યા પછી અમે વિમાનને ગ્રાઉન્ડ કર્યું અને પાઇલટની ચિંતાના આધારે તપાસ કરવા માટે ઓઇએમને નિયુક્ત કર્યા."
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 'ચીનની ટેન્ક ડોકલામ સુધી આવી ગઈ' રાહુલ ગાંધીના આરોપથી સંસદમાં મચી સનસની
ADVERTISEMENT
એરલાઈને વધુમાં જણાવ્યું હતું કે, "ડીજીસીએને આ બાબતની જાણ કરવામાં આવી છે. ડીજીસીએના નિર્દેશને અનુસરીને એર ઈન્ડિયાએ તેના કાફલામાં રહેલા તમામ બોઈંગ 787 વિમાનોના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચોનું નિરીક્ષણ કર્યું અને તેમને કોઈ સમસ્યા મળી નહીં. એર ઈન્ડિયામાં મુસાફરો અને ક્રૂની સલામતી સર્વોપરી છે." નોંધનીય છે કે અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટના ક્રેશના થોડા મહિના પછી જ આ ઘટના પ્રકાશમાં આવી છે, અમદાવાદમાં પ્લેન ક્રેશમાં 260 લોકો માર્યા ગયા હતા. તે અકસ્માતની તપાસ દરમિયાન પણ આવી જ સ્થિતિ બહાર આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.