ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:57 PM, 2 February 2026
Parliament Session: ભારત ભૂટાનની સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે. તેથી જ્યારે 2017 માં ચીની સૈનિકોએ ડોકલામમાં રસ્તો બનાવવાનું શરૂ કર્યું, ત્યારે ભારત માટે વિરોધ કરવો અનિવાર્ય બની ગયું. ત્યારબાદ ચીન પણ અડગ રહ્યુ, જેના કારણે 73 દિવસ સુધી ટકરાવ ચાલુ રહ્યો હતો.
ADVERTISEMENT
લોકસભામાં સોમવારે અચાનક ડોકલામ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. રાહુલ ગાંધી ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેના એક અપ્રકાશિત પુસ્તકનો ઉલ્લેખ કરીને ડોકલામ વિશે કેટલાક દાવા કરી રહ્યા હતા. સરકાર વતી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે પુસ્તક હજુ પ્રકાશિત થયું નથી, તો તેના આધારે સંસદમાં કંઈ કેવી રીતે કહી શકાય. સંસદમાં આ ટકરાવ લગભગ 45 મિનિટ ચાલ્યો હતો.
ડોકલામ મડાગાંઠથી લોકોને આઠ વર્ષ પહેલાની એક ઘટનાની યાદ અપાવી જ્યારે ભારતીય અને ચીની સેનાઓ આમને-સામને હતા, એક પરિસ્થિતિ જે 73 દિવસ સુધી ચાલુ રહી. આખરે કૂટનીતિક કાર્યવાહી દ્વારા ભારતે ચીનને પીછેહઠ કરવા મજબૂર કર્યું હતું.
ADVERTISEMENT
LIVE: Motion of Thanks | 18th Lok Sabha https://t.co/0eSGZJIign
— Rahul Gandhi (@RahulGandhi) February 2, 2026
ચાલો આ વિવાદને વિગતવાર સમજાવીએ
ADVERTISEMENT
ડોકલામ વિવાદ ભારતની ઉત્તરપૂર્વીય સરહદ સાથે સંબંધિત છે. ડોકલામ એ ભારતીય સરહદ કિનારે 14000 ફૂટની ઊંચાઈ પર સ્થિત એક ઉચ્ચપ્રદેશ છે. ડોકલામ એક ત્રિ-જંકશન બિંદુ છે, જેનો અર્થ એ થાય કે જ્યાં ત્રણ દેશોની સરહદો મળે છે: આ દેશ છે ભારત, ભૂટાન અને ચીન (તિબેટ).
ભૂટાન તેને પોતાનો પ્રદેશ માને છે, પરંતુ ચીન તેને પોતાનો ડોંગલાંગ પ્રાંત પણ ગણાવે છે
ADVERTISEMENT
આ વિસ્તાર ભારત માટે વ્યૂહાત્મક છે કારણ કે જો ચીન તેના પર કબજો કરે અથવા રસ્તો બનાવે, તો તે સિલિગુડી કોરિડોરની ખૂબ નજીક આવી જશે, જેને ચિકન નેક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કોરિડોર ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોને બાકીના ભારત સાથે જોડે છે. તણાવ અથવા યુદ્ધની સ્થિતિમાં ચીન તેને કાપી શકે છે. તેથી ભારત ભૂટાનને સાથ આપે છે.
વિવાદ ક્યારે અને કેવી રીતે શરૂ થયો?
ADVERTISEMENT
જૂન 2017ની શરૂઆતમાં ચીને ડોકલામમાં એક જૂના રસ્તાનું વિસ્તરણ કરવાનું શરૂ કર્યું. પીએલએ બુલડોઝર, ખોદકામ કરનારાઓ અને સૈનિકો સાથે નિર્માણ કાર્ય શરૂ કર્યું. 16 જૂન 2017ના ચીને રસ્તાના બાંધકામને ઝડપી કર્યુ. ભૂટાને વિરોધ કર્યો, પરંતુ ચીન માન્યુ ન હતું.
છેવટે 18 જૂન 2017 ના ભારતે હસ્તક્ષેપ કર્યો. આશરે 270-300 ભારતીય સૈનિકો, બે બુલડોઝર સાથે સિક્કિમથી ડોકલામમાં પ્રવેશ્યા અને ચીની સેનાના બાંધકામ કાર્યને અટકાવ્યું. ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને પાછળ ધકેલી દીધા અને તેમને રસ્તો બનાવતા અટકાવ્યા.
ADVERTISEMENT
આના કારણે ટકરાવની સ્થિતી થઇ. બંને બાજુના સૈનિકો એકબીજાનો સામનો કરી રહ્યા હતા. જ્યારે બંને બાજુ આમને સામને સો સૈનિકો હતા, પરંતુ પાછળ સપોર્ટમાં હજારો સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા.
LIVE: Motion of Thanks | 18th Lok Sabha https://t.co/shbuLNv76o
— Rahul Gandhi (@RahulGandhi) February 2, 2026
હકીકતમાં ભૂટાન સાથેના કરાર હેઠળ ભારત તેના પડોશી દેશની સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. ભારત કોઈ વિદેશી શક્તિ ભૂટાનમાં પ્રવેશ કરે તેની રાહ જોઈ શકે નહીં અને તે વિદેશી શક્તિ ભારતમાં પ્રવેશ કરે તેની રાહ જોઈ શકે નહીં. ભારતીય સેના 73 દિવસ સુધી અડગ રહી, ચીનના ઘમંડને પડકાર ફેંક્યો.
આવી સ્થિતિમાં તેનો હસ્તક્ષેપ અનિવાર્ય બની જાય છે. ચીને દાવો કર્યો કે તે તેના પ્રદેશમાં રસ્તો બનાવી રહ્યું છે, અને વારંવાર ભારતીય સેનાના હસ્તક્ષેપને "અતિક્રમણ" ગણાવી કરારો જવાબ આપ્યો. ચીને ઉગ્ર નિવેદનો આપવાનું ચાલુ રાખ્યું હતું

આ પણ વાંચોઃ સંસદમાં 44 મિનિટની બબાલની એક-એક ડિટેલ, રાહુલ ગાંધીના હાથમાં પુસ્તક, રાજનાથ-શાહનો પલટવાર
73 દિવસ સુધી ચાલ્યો ટકરાવ
આ વિવાદ 16 જૂનથી 28 ઓગસ્ટ સુધી લગભગ 73 દિવસ સુધી ચાલ્યો. અંતે બંને દેશો "એક્સપીડિશન ડિસએંગેજમેંટ" માટે સંમત થયા. ભારતે પોતાના સૈનિકો પાછા બોલાવ્યા અને ચીને પોતાના બાંધકામ સાધનો પાછા હટાવી લીધા.
રાહુલે સંસદમાં ઉલ્લેખ કર્યો
સોમવારે બપોરે 3 વાગ્યે ગૃહની બેઠક મળ્યા પછી રાહુલ ગાંધીએ કહ્યું, "સેનામાં દરેક વ્યક્તિ જાણે છે કે શું થયું છે." તમે આ વાત જનતાથી છુપાવી રહ્યા છો, સેનામાં દરેક સૈનિકને ખબર છે. આ વાસ્તવિકતા છે. તેમણે પૂછ્યું, "તમે જનતાથી શું થયું તે કેમ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છો?" આ પછી, લોકસભા ફરી હોબાળો મચી ગયો, અને ગૃહ સ્થગિત કરવામાં આવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.