બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:08 PM, 13 June 2025
Emergency Landing : અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બાદ હવે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. થાઇલેન્ડમાં એર ઇન્ડિયાના એક વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં બોમ્બ હોવાની જાણ થઈ હતી. વિમાનમાં 156 લોકો સવાર હતા. વિમાન થાઇલેન્ડના ફુકેતથી દિલ્હી આવી રહ્યું હતું. આ ઘટના સવારે 9:30 વાગ્યે બની હતી. ફ્લાઇટ નંબર AI-379 હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
થાઇલેન્ડના ફુકેટમાં એર ઇન્ડિયાના એક વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ ફ્લાઇટ ફુકેટથી નવી દિલ્હી આવી રહી હતી, પરંતુ શુક્રવારે બોમ્બની ધમકી બાદ તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાની એક ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. તેમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા.
ADVERTISEMENT
રોઇટર્સના અહેવાલ મુજબ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 379 ફુકેટથી નવી દિલ્હી માટે રવાના થઈ હતી. તેમાં 156 મુસાફરો સવાર હતા, પરંતુ ફ્લાઇટ ઉડાન ભર્યા પછી બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ પછી, ફ્લાઇટ આંદામાન સમુદ્રની આસપાસ ફર્યા પછી પાછી ફરી અને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. AOT દ્વારા હજુ સુધી બોમ્બ ધમકીની પુષ્ટિ કરવામાં આવી નથી.
ADVERTISEMENT
Reuters reports that, "an Air India flight from Thailand's Phuket to India's capital New Delhi received a bomb threat on Friday and made an emergency landing on the island, airport authorities said." pic.twitter.com/iMwR2DOTci
— ANI (@ANI) June 13, 2025
ફુકેટ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઇમરજન્સી લેન્ડિંગ પછી, મુસાફરોને ફ્લાઇટમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા અને બધા સુરક્ષિત છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.