બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ભારત-નેપાળ સરહદ વિવાદ ફરી ગરમાયો! ₹1ના સિક્કા પર લિપુલેખ-કાલાપાની દર્શાવશે નેપાળ

અવળચંડાઇ / ભારત-નેપાળ સરહદ વિવાદ ફરી ગરમાયો! ₹1ના સિક્કા પર લિપુલેખ-કાલાપાની દર્શાવશે નેપાળ

Published By: Priykant Shrimali

Last Updated: 01:45 PM, 26 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nepal One Rupee Coin Controversy : નેપાળના ₹1ના નવા સિક્કા પર વિવાદિત નકશો હશે, ભારતે અગાઉ પણ નોંધાવી હતી આપત્તિ

Nepal One Rupee Coin Controversy : ભારત અને નેપાળ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો સરહદી વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. વાસ્તવમાં નેપાળ સરકારે ₹1નો નવો સિક્કો બહાર પાડવાનો નિર્ણય લીધો છે, જેમાં લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાનીને નેપાળના ભાગ તરીકે દર્શાવતા વિવાદિત નકશાનો સમાવેશ કરવામાં આવશે. ભારત આ ત્રણેય વિસ્તારોને ઉત્તરાખંડનો ભાગ માને છે અને અગાઉ પણ આ મુદ્દે પોતાની આપત્તિ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી ચૂકી છે.

નવા સિક્કા પર રહેશે વિવાદિત નકશો ?

નેપાળ રાષ્ટ્ર બેંક (NRB)ના પ્રવક્તા ગુરુ પ્રસાદ પૌડેલે જણાવ્યું કે, ટૂંક સમયમાં ₹1નો નવો સિક્કો જારી કરવામાં આવશે. સિક્કાની અંતિમ ડિઝાઇન હજુ સત્તાવાર રીતે જાહેર થઈ નથી, પરંતુ તેમાં નેપાળના સત્તાવાર નકશાનો જ ઉપયોગ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ નકશામાં લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાનીને નેપાળના વિસ્તાર તરીકે દર્શાવવામાં આવ્યા છે.

2020થી વિવાદ વધુ ચર્ચામાં

આ સરહદી વિવાદ મે 2020માં વધુ ચર્ચામાં આવ્યો હતો. તે સમયે નેપાળની તત્કાલીન સરકારના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ નવો સત્તાવાર નકશો જાહેર કર્યો હતો, જેમાં આ ત્રણેય વિસ્તારોને નેપાળના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ભારતે તે સમયે પણ આ પગલાનો વિરોધ કર્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે આ વિસ્તારો ઉત્તરાખંડનો અભિન્ન ભાગ છે.

મઠની તસવીરનો નિર્ણય બદલાયો

તાજેતરમાં નેપાળ સરકારે એક નિર્ણય કર્યો હતો કે ₹1ના સિક્કા પરનો નકશો હટાવી તેના સ્થાને બૌદ્ધ મઠ (મોનાસ્ટ્રી)ની તસવીર મૂકવામાં આવશે. જોકે, આ નિર્ણયનો વિરોધ પક્ષો અને સામાન્ય નાગરિકોએ વિરોધ કર્યો હતો. વધતા દબાણને ધ્યાનમાં રાખીને સરકારે પોતાનો નિર્ણય બદલી દીધો અને હવે ફરીથી વિવાદિત નકશા સાથે જ સિક્કો બહાર પાડવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : ટ્રમ્પનો મોટો નિર્ણય, ભારત સહિત 17 દેશોના આયાતી માલ પર 10% વધારાનો ટેરિફ લાગુ

નવો સિક્કો કદમાં નાનો અને હળવો હશે

નેપાળ રાષ્ટ્ર બેંકના જણાવ્યા મુજબ, નવો ₹1નો સિક્કો હાલના સિક્કાની સરખામણીએ કદમાં નાનો અને વજનમાં હળવો હશે. જોકે તેની ડિઝાઇનમાં વિવાદિત નકશાને જ સ્થાન આપવામાં આવશે. ભારત સતત આ મુદ્દે સ્પષ્ટ વલણ રાખતું આવ્યું છે કે ભારત-નેપાળ વચ્ચેનો સરહદી વિવાદ સંવેદનશીલ છે અને તેનો ઉકેલ માત્ર બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય વાતચીત દ્વારા જ આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nepal Disputed Map India Nepal Border Dispute Nepal One Rupee Coin Controversy

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ