બ્રેકિંગ ન્યુઝ
Chawl Collapses: આજે (18 જુલાઈ 2025)ના રોજ મુંબઈના પશ્ચિમ ઉપનગર બાંદ્રામાં ત્રણ માળની ચાલ ધરાશાયી થઈ હોવાના અહેવાલ છે. આ પાછળનું કારણ સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું કહેવાય છે. કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કાટમાળમાંથી 10થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
7 feared trapped, 12 rescued, after chawl collapses in Mumbai's Bandra
— ANI Digital (@ani_digital) July 18, 2025
Read @ANI story | https://t.co/I7Xzkh8UbO#Mumbai #chawlcollapse #Bandra #Maharashtra pic.twitter.com/5IBVRbuyix
રાહત અને બચાવ કાર્ય ચાલુ
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી મુજબ, બાંદ્રા પૂર્વના ભારત નગર વિસ્તારમાં ચાલ નંબર 37 સવારે 5.56 વાગ્યે ધરાશાયી થઈ હતી. ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'મુંબઈ પોલીસ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાનિક વોર્ડ મશીનરી સાથે આઠ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.'

ADVERTISEMENT
વઘુ વાંચો : છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલના ઘેર EDની મોટી રેડ, રાજનીતિમાં આવ્યો મોટો ભૂકંપ
મુંબઈ પોલીસનું નિવેદન
ADVERTISEMENT
મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૧૨ લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. શરૂઆતની તપાસ મુજબ, ઈમારતમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેના પછી ઈમારતનો અમુક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો.
સ્થાનિક લોકો પણ મદદમાં જોડાયા
ADVERTISEMENT
અધિકારીએ જણાવ્યું હતું કે, 'બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે અને ટૂંક સમયમાં વધુ માહિતી બહાર આવશે. અકસ્માતની ગંભીરતાને જોતા, વહીવટીતંત્રે તમામ જરૂરી પગલાં લીધાં છે. હવે સૌથી મોટી પ્રાથમિકતા કાટમાળમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની છે. આ મુશ્કેલ સમયમાં સ્થાનિક લોકો પણ એકબીજાને મદદ કરવા આગળ આવી રહ્યા છે.'
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.