બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:15 AM, 22 May 2026
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ પર ઉભી થયેલી અનિશ્ચિતતાની અસર હવે વૈશ્વિક ઉર્જા પુરવઠા પર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગોમાંનો એક માનવામાં આવે છે અને ભારત સહિત અનેક દેશો માટે તેલ તથા LPG સપ્લાય માટે આ માર્ગ અત્યંત મહત્વનો છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારતમાં પણ પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે LPG સિલિન્ડરની ઉપલબ્ધતા અંગે લોકોમાં ચિંતા વધી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ગંભીર સ્થિતિ વચ્ચે PM નરેન્દ્ર મોદીએ ઉર્જા સુરક્ષા મુદ્દે મોટી બેઠક યોજી હતી. પાંચ દેશોના પ્રવાસ પરથી પરત ફર્યા બાદ PM મોદીએ લગભગ ચાર કલાકથી વધુ સમય સુધી મેરેથોન કેબિનેટ બેઠક કરી હતી. આ બેઠકમાં પશ્ચિમ એશિયાની કટોકટી, તેલ પુરવઠા પર અસર અને ભવિષ્યમાં ઊભા થઈ શકે તેવા પડકારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. PM મોદીએ મંત્રીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારતને હવે ઉર્જા આત્મનિર્ભરતા તરફ વધુ ઝડપથી આગળ વધવું પડશે.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન PM મોદીએ ખાસ કરીને LPGના વિકલ્પ તરીકે બાયોગેસને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે પરંપરાગત ઇંધણ પર વધુ નિર્ભરતા લાંબા ગાળે જોખમી બની શકે છે અને હવે દેશે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો તરફ ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. બાયોગેસ, ગ્રીન એનર્જી અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ ઉર્જા સાધનોને પ્રોત્સાહન આપીને ભારત ઊર્જા સુરક્ષા મજબૂત બનાવી શકે છે.

ADVERTISEMENT
હોર્મુઝ સ્ટ્રેટના મહત્વ અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. આ દરિયાઈ માર્ગથી વિશ્વના મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ અને ગેસનું પરિવહન થાય છે. જો અહીં કોઈ અવરોધ ઊભો થાય તો તે સીધી અસર વૈશ્વિક તેલ બજાર અને ઇંધણના ભાવ પર કરે છે. ભારત જેવા દેશો, જે મોટા પ્રમાણમાં તેલ આયાત કરે છે, તેમના માટે આ પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર હવે લાંબા ગાળાની વ્યૂહરચના પર કામ કરી રહી છે.
ADVERTISEMENT
બેઠક દરમિયાન PM મોદીએ મંત્રીઓને બાકી રહેલા તમામ કાર્યો ઝડપથી પૂર્ણ કરવાની પણ સૂચના આપી હતી. તેમણે કહ્યું કે હવે ભૂતકાળની ચર્ચા કરતાં ભવિષ્ય માટે શું કરી શકાય તે પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે. PMને મંત્રીઓને બિનજરૂરી વિવાદોથી દૂર રહીને લોકો માટે કામ કરવાની સલાહ આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે “વિકસિત ભારત 2047” માત્ર રાજકીય સૂત્ર નથી પરંતુ દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ડીઝલની અછત વચ્ચે સરકારનું મોટું નિવેદન, દેશભરમાં પૂરતો જથ્થો હોવાનો દાવો
આ બેઠકમાં કૃષિ, વન, મજૂરી, માર્ગ પરિવહન, કોર્પોરેટ, વિદેશ, વાણિજ્ય અને ઉર્જા વિભાગો દ્વારા પણ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા હતા. PM મોદીએ સ્પષ્ટ કર્યું કે સરકારનો મુખ્ય હેતુ સામાન્ય લોકોનું જીવન સરળ બનાવવાનો છે અને દરેક સુધારા લોકો માટે ફાયદાકારક હોવા જોઈએ. તેમણે મંત્રીઓને કહ્યું કે ફાઇલો ઝડપથી આગળ વધવી જોઈએ, ઓછા સમયમાં વધુ કામ થવું જોઈએ અને દરેક કાર્યમાં સરળતા લાવવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.