બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:56 AM, 22 May 2026
દેશના અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ પંપ પર ભારે ભીડ અને ડીઝલ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં લોકો દ્વારા ડીઝલની અછત હોવાના દાવા કરવામાં આવ્યા હતા, જેના કારણે સામાન્ય નાગરિકોમાં ચિંતા ફેલાઈ હતી. આ સમગ્ર સ્થિતિ વચ્ચે હવે ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડી લોકોને વિશ્વાસ આપ્યો છે કે દેશમાં ઇંધણની કોઈ અછત નથી અને ગભરાટમાં જરૂરિયાત કરતાં વધુ ખરીદી કરવાની જરૂર નથી.
ADVERTISEMENT

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ ડીઝલ ઉત્પાદન અને વપરાશના તાજા આંકડા જાહેર કર્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, એપ્રિલ મહિનામાં ભારતમાં કુલ 10 મિલિયન મેટ્રિક ટન ડીઝલનું ઉત્પાદન થયું હતું, જ્યારે દેશની માસિક જરૂરિયાત આશરે 8 મિલિયન મેટ્રિક ટન જેટલી રહી હતી. એટલે કે ઉત્પાદન માંગ કરતાં લગભગ 2 મિલિયન મેટ્રિક ટન વધારે છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે દેશમાં ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અછત જેવી કોઈ સ્થિતિ નથી.
ADVERTISEMENT
સરકારે વધુમાં જણાવ્યું કે દેશભરના મોટાભાગના પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલનો સામાન્ય રીતે 2 થી 3 દિવસનો સ્ટોક રાખવામાં આવે છે. જોકે છેલ્લા કેટલાક દિવસોમાં લોકો ગભરાઈને વધારે પ્રમાણમાં ઇંધણ ભરાવી રહ્યા હોવાથી માંગમાં અચાનક 20 થી 25 ટકા સુધીનો વધારો નોંધાયો છે. આ વધેલી માંગને કારણે કેટલાક વિસ્તારોમાં સપ્લાય ચેઇન પર દબાણ આવ્યું અને કામચલાઉ મુશ્કેલીઓ ઊભી થઈ. પરંતુ આ માત્ર સમયસરનો દબાણ છે, અછત નહીં.
ADVERTISEMENT
સુજાતા શર્માએ નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સરકાર અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દેશભરમાં સતત ઇંધણ પુરવઠો જળવાઈ રહે તે માટે સંકલન કરીને કામ કરી રહી છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તમામ રિટેલ ઇંધણ આઉટલેટ્સ પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને સામાન્ય રીતે ખરીદી ચાલુ રાખવી જોઈએ.
ADVERTISEMENT

રાંધણ ગેસ એટલે કે LPG અંગે પણ સરકારે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. સરકારે સ્વીકાર્યું કે ભારત તેની લગભગ 60 ટકા LPG જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે, છતાં સ્થાનિક ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે દેશની ઉર્જા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે અને ઇંધણ પુરવઠામાં કોઈ ખલેલ ન પડે તેની સતત દેખરેખ રાખી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : આકાશમાં એર ઈન્ડિયાના વિમાનના એન્જિનમાં આગની આશંકા, 171 મુસાફરોનો આબાદ બચાવ
છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓ અને ડીઝલ અછતની ચર્ચાઓને કારણે ઘણા વિસ્તારોમાં લોકો ગભરાઈ ગયા હતા. જોકે સરકારના આ સત્તાવાર નિવેદન બાદ હવે સ્થિતિ સામાન્ય થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારે લોકોને શાંતિ જાળવવા અને જરૂર મુજબ જ ઇંધણ ખરીદવાની અપીલ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.