બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:10 PM, 28 January 2026
Baramati Plane Crash: મહારાષ્ટ્રના બારામતી જિલ્લામાં થયેલા વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પણ મૃત્યુ થયું છે. વિમાનના સહ-પાયલટ શાંભવી પાઠક હતા. તે કોણ છે જાણીએ.
ADVERTISEMENT
Ajit Pawar Plane Crash News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બારામતીમાં પ્લેન ક્રેશ થયું, આ વિમાનના સહ-પાયલટ કેપ્ટન શાંભવી પાઠક હતા. કેપ્ટન સુમિત કપૂર વીએસઆર વેન્ચર્સની માલિકીના લિયરજેટ 45 (VT-SSK)નું પાઇલટિંગ કરી રહ્યા હતા. કેપ્ટન શાંભવી પાઠક ચાર વર્ષથી કંપની સાથે છે. તેણીએ મુંબઈ યુનિવર્સિટીમાં ઉડ્ડયનનો અભ્યાસ કર્યો અને બાદમાં 2018 થી 2019 દરમિયાન ન્યુઝીલેન્ડ ઇન્ટરનેશનલ કોમર્શિયલ પાયલટ એકેડેમીમાં ફ્લાઇટ તાલીમ મેળવી. શાંભવીએ એરફોર્સ બાલ ભારતી સ્કૂલમાં અભ્યાસ કર્યો, જ્યાં તેણીએ 2018 માં તેનું માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ સાંજે અજિત પવારના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રખાશે, કાલે વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડમાં અંતિમ સંસ્કાર
તેણે ન્યુઝીલેન્ડમાં ન્યુઝીલેન્ડ ઇન્ટરનેશનલ કોમર્શિયલ પાયલટ એકેડેમીમાં કઠોર કોમર્શિયલ ટ્રેનિંગ પૂર્ણ કરી. શામ્ભવીએ 2018 અને 2019 ની વચ્ચે ન્યુઝીલેન્ડ સિવિલ એવિએશન ઓથોરિટી (NZ CAA) અને ભારતમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તરફથી કોમર્શિયલ પાયલટ લાઇસન્સ (CPL) મેળવ્યું. ત્યારબાદ શાંભવીએ 2022 માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એરોનોટિકલ, એવિએશન અને સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી. તેણીએ ફ્રોઝન ATPL (એરલાઇન ટ્રાન્સપોર્ટ પાયલટ લાઇસન્સ) મેળવ્યું. તેણી મધ્યપ્રદેશ ફ્લાઇંગ ક્લબમાં સહાયક ફ્લાઇટ પ્રશિક્ષક તરીકે કામ કરતી હતી, જ્યાં તેણીએ ફ્લાઇટ પ્રશિક્ષક રેટિંગ (A) મેળવ્યું હતું. વિમાન દુર્ઘટનામાં શાંભવી પાઠક અને અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.