બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સાંજે અજિત પવારના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રખાશે, કાલે વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડમાં અંતિમ સંસ્કાર
Last Updated: 04:58 PM, 28 January 2026
Ajit Pawar News: NCP નેતા અને મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજીત પવાર સાથે આ પ્લેનમાં બીજા 5 લોકો પણ સવાર હતા અને આ તમામના મોત થયા છે. બુધવારની સવારે બારામતીમાં લેન્ડ કરતીવખતે આ પ્લેન ક્રેશની ઘટના બની હતી. અજીત પવાર ચુંટણીના પ્રચાર માટે બારમતી જઈ રહ્યા હતા. હજુ સુધી એ વાત સામે નથી કે વિમાનનું ક્રેશ લેન્ડિંગ દરમિયાન કોઈ ટેકનિકલ ખરાબીને લીધે થયું છે કે શું છે તેનું કારણ. પણ ઘટના સમયે આ પ્લેન સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયું હતું.
ADVERTISEMENT
અજીત પવારના પાર્થિવ શરીરને આજે સાંજે 5 વાગ્યાથી અંતિમ દર્શન માટે બારામતીના તેમના આવાસ પર રાખવામાં આવશે. અંહિયા લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે.
ADVERTISEMENT
ગુરુવારે સવારે 11.00 વાગ્યે થશે અજિત પવારના અંતિમ સંસ્કાર, પીએમ મોદી રહી શકે હાજર | VTV Digital #AjitPawar #LastRites #maharashtra #baramati #PMModi #Maharashtra #IndianPolitics #StateFuneral #ncp #amithsha #vtvdigital pic.twitter.com/gwXmwUUgT8
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 28, 2026
ADVERTISEMENT
મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજીત પવારનું કાલે બારામતીમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આવતીકાલે અંતિમ યાત્રા સવારે 9 વાગ્યાથી શરૂ થશે અને તેમના અંતિમ સંસ્કાર સવારે 11 વાગે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં કરવામાં આવશે.
NCP પ્રમુખ અજીત પવાર જે પ્લેનમાં તે બુધવારે લેન્ડિંગ પહેલા દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. NCP પ્રમુખ સાથે આ પ્લેનમાં તેમની સાથે સવાર અન્ય 5 લોકોના પણ મૃત્યુ થયા છે. એયર ક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોએ આ વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અજીત પવારની યાદમાં બારામતીમાં એક સ્મારકનું નિર્માણ કરવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર કાલે સવારે તેમના ગામ કાંતેવાડી બારામતીમાં કરવામાં આવશે અને આજે સાંજે તેમના પાર્થિવ દેહને વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં રાખવામાં આવશે જેથી સામાન્ય જનતા તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.