બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:56 AM, 29 September 2025
Actor Vijay Bomb Threat : જાણીતા અભિનેતા અને રાજકારણી વિજયને રવિવારના રોજ તેમના ચેન્નાઈ સ્થિત નિવાસસ્થાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી ગઈ છે. વિજયના નીલંકરાય સ્થિત નિવાસસ્થાને તાત્કાલિક બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્નિફર ડૉગ્સ સાથે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવવામાં આવ્યો છે અને ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની છે જ્યારે તાજેતરમાં વિજયની આગેવાની હેઠળની તાજેતરની રાજકીય રેલીમાં મોટી દુર્ઘટના બની છે.
ADVERTISEMENT
નોંધનિય છે કે, 27 સપ્ટેમ્બર, 2025ના રોજ કરુર ખાતે તમિલગા વેત્રી કઝગમ (TVK) દ્વારા યોજાયેલી રેલીમાં ભારે નાસભાગ સર્જાઈ હતી, જેમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 40 થઈ ગયો છે અને 60થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાંથી ઓછામાં ઓછા બે લોકોની સ્થિતિ હજુ પણ ગંભીર છે.
Tamil Nadu | Chennai police received a phone call earlier today claiming that a bomb had been planted at the ECR, Neelankarai residence of Tamilaga Vettri Kazhagam (TVK) Chief and actor Vijay. Following the alert, police personnel rushed to the actor’s residence, and a bomb… pic.twitter.com/Fs7xceZWlI
— ANI (@ANI) September 28, 2025
ADVERTISEMENT
રેલીમાં વીજળી ગુલ થવી દુર્ઘટનાનું કારણ?
આ દુર્ઘટના અંગે અનેક તારણો સામે આવી રહ્યાં છે. એવું કહેવાઈ રહ્યું છે કે, રેલી દરમિયાન વીજળી બંધ થઈ જવાથી અને લોકોના આકસ્મિક ધસારા કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો. કરુર વીજળી બોર્ડના મુખ્ય ઇજનેર રાજલક્ષ્મીએ જણાવ્યું હતું કે, વિજયના આગમનના પહેલા કલાકોમાં વીજળી ગુલ હતી. અમે જોયું કે, ભીડમાં કેટલાક લોકો ઝાડ અને ટ્રાન્સફોર્મર પર ચઢી ગયા હતા. તાત્કાલિક પગલાં રૂપે વીજળી બંધ કરી દેવાઈ હતી જેથી વધુ મોટી દુર્ઘટના અટકી શકે. તેઓએ વધુમાં કહ્યું, જ્યાં ભીડ અશાંત થઈ રહી હતી ત્યાં આપણે પોલીસની મદદથી લોકોને નીચે ઉતાર્યા અને પછી વીજળી પુનઃસ્થાપિત કરી.
ADVERTISEMENT

વિજયે ઘટના બાદ અસરકારક પગલાં લેતા મૃત્યુ પામેલ લોકોના પરિવારજનો માટે ₹20 લાખ અને ઘાયલોના પરિવારજનો માટે ₹2 લાખની આર્થિક સહાય જાહેર કરી છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, આ દુર્ઘટના અંગે આગળની કાર્યવાહી નક્કી કરવા માટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા ચાલી રહી છે. હાલ પક્ષના મહાસચિવ એન. આનંદ અને કરુર-નમક્કલના પ્રદેશપ્રમુખ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : બુમરાહના પ્લેન ક્રેશ સેલિબ્રેશન પર ઇરફાનની પ્રતિક્રિયા, આખા પાકિસ્તાનને મરચા લાગશે
Thank you, my dear brother Thiru. @RahulGandhi, for reaching out to me over phone, conveying your heartfelt concern over the tragic incident in #Karur, and sincerely enquiring about the measures taken to save the precious lives of those under treatment.
— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) September 28, 2025
கரூரில் நடந்துள்ள துயரச்…
ADVERTISEMENT
દેશના રાજકીય નેતાઓ તરફથી પણ આ દુ:ખદ ઘટનાની અસરકારક નોંધ લેવામાં આવી છે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને ફોન કરીને સમગ્ર ઘટનાની વિગતો જાણવી અને દુ:ખ વ્યક્ત કર્યું. મુખ્યમંત્રી સ્ટાલિને X (હવે Twitter) પર પોસ્ટ કરીને જણાવ્યું કે, મારા પ્રિય ભાઈ રાહુલ ગાંધી કરુરમાં બનેલી દુ:ખદ ઘટના અંગે તમારી હૃદયપૂર્વકની ચિંતા અને દર્દ લાગણી વ્યક્ત કરવા બદલ હૃદયથી આભાર.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.