બ્રેકિંગ ન્યુઝ
CRPF Bus Accident: જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક દુ:ખદ અકસ્માતની ઘટના બની છે, જ્યાં 23 CRPF જવાનોને લઈ જતી એક બસ કાબૂ ગુમાવતા ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટના બસંતગઢ વિસ્તારમાં કંડવા નજીક બની હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
Office of J&K LG Manoj Sinha tweets, "Saddened by loss of CRPF personnel due to an accident near Udhampur. We will never forget their exemplary service to the nation. My thoughts are with bereaved families. Praying for the speedy recovery of the injured. Directed senior officials… pic.twitter.com/Xmo4HhjsJZ
— ANI (@ANI) August 7, 2025
ત્રણ જવાનો શહીદ થયાના અહેવાલ
ADVERTISEMENT
આ ગંભીર દુર્ઘટનામાં 3 જવાનો શહીદ થયા છે જ્યારે 12 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 5ની હાલત જણાવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તેમજ સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.
જવાનો ઓપરેશનમાંથી પરત ફરી રહ્યા હતા
ADVERTISEMENT
આ ઘટના સવારે લગભગ 10:30 વાગ્યે બની હોવાનું કહેવાય રહ્યું છે. આ જવાનો બસંતગઢથી એક ઓપરેશન પાર પાડીને પરત ફરી રહ્યા હતા. વાહનમાં અર્ધલશ્કરી દળની 187મી બટાલિયનના જવાનો સવાર હતા. અકસ્માત કેટલો ભયાનક હશે એ વાતનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શક્શો કે વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા બુકડો બોલી ગયો હતો.
ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા
ADVERTISEMENT
હાલ ઈજાગ્રસ્ત સૈનિકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઉધમપુરના અધિક પોલીસ અધિક્ષક સંદીપ ભટ્ટે આ દુર્ઘટના વિશે જણાવ્યું હતું કે, 'તમામ ઈજાગ્રસ્તોને યોગ્ય તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે'.

ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : 'ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચુકવવા પણ તૈયાર', ટેરિફ વોરની વચ્ચે PM મોદીનું મોટું એલાન
કેન્દ્રીય મંત્રીએ અકસ્મતાની જાણકારી આપી
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, 'ઉધમપુરના કંડવા-બસંતગઢ વિસ્તારમાં CRPFના બસનો અકસ્માત થયો છે. જેમાં કેટલાક સૈનિકો શહીદ થયાના સમાચાર સાંભળીને મને દુઃખ થયું છે. વાહનમાં ઘણા બહાદુર CRPF સૈનિકો મુસાફરી કરી રહ્યા હતા. મેં હમણાં જ DC સલોની રાય સાથે વાત કરી છે, જેઓ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે અને મને માહિતી આપી રહ્યા છે. રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. શક્ય તેટલી દરેક મદદ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે'.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.