બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:48 AM, 16 August 2025
Independence Day South Korea : ગઇકાલે ભારતભરમાં આઝાદી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન એક એવી વાત સામે આવી છે કે, જે ખરેખર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વાસ્તવમાં દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી ચો હ્યૂન શુક્રવાર સાંજે ભારતની રાજધાની નવી દિલ્હીમાં પહોચ્યા છે. નોંધનીય છે કે, આ તેમનો ભારત તરફનો પહેલો સત્તાવાર પ્રવાસ છે. ભારતના વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમના સ્વાગત સાથે જણાવ્યું કે, ભારત-દક્ષિણ કોરિયા વચ્ચેની વિશિષ્ટ વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બની રહી છે અને ભવિષ્ય તરફ આગળ વધી રહી છે.
ADVERTISEMENT
ભારત અને દક્ષિણ કોરિયા બંને એક જ દિવસે ઉજવે છે સ્વતંત્રતા દિવસ
નોંધનીય છે કે, ભારત અને દક્ષિણ કોરિયા બંને દેશો 15 ઑગસ્ટે પોતપોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે. આ પ્રસંગે દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી ચો હ્યૂને ભારતને દિલથી શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે, આજે કોરિયાનો નેશનલ લિબરેશન ડે છે અને ભારતનો સ્વતંત્રતા દિવસ છે. હું ભારતને હાર્દિક શુભેચ્છાઓ પાઠવૂં છું અને આશા રાખું છું કે આપણા બે દેશો વચ્ચેની મિત્રતા અને સહકાર વધુ મજબૂત બનશે.
ADVERTISEMENT
MEA tweets, "Warm welcome to Foreign Minister Cho Hyun of the Republic of Korea as he arrives in New Delhi on his maiden visit to India. India- Korea Special Strategic Partnership remains strong & geared towards the future." pic.twitter.com/dkdhT5rGwK
— ANI (@ANI) August 15, 2025
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે પણ દક્ષિણ કોરિયાને તેમના સ્વતંત્રતા દિનની શુભકામનાઓ આપી. તેમણે એક જૂની તસ્વીર પણ શેર કરી હતી જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G7 સમિટ દરમિયાન દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ સાથે મુલાકાત કરી હતી.
ADVERTISEMENT
EAM Jaishankar congratulates Cho Hyun on appointment as South Korea's Foreign Minister
— ANI Digital (@ani_digital) July 21, 2025
Read @ANI story | https://t.co/gt9SE2i8yz#Jaishankar #SouthKorea #ChoHyun pic.twitter.com/jmsVYjC0kJ
તમે જોયો કે નહિ દક્ષિણ કોરિયન દૂતાવાસનો વિડીયો ?
ADVERTISEMENT
નવી દિલ્હી સ્થિત દક્ષિણ કોરિયાના દૂતાવાસે પણ ભારતના 79મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે એક ખાસ વિડિયો જાહેર કર્યો હતો. જેમાં કોરિયન રાજનયિકોએ હિન્દી ભાષામાં ભારતવાસીઓને શુભેચ્છાઓ આપી. દૂતાવાસ તરફથી લખવામાં આવ્યું કે, ભારતના સ્વતંત્રતા દિવસના અવસરે, કોરિયન દૂતાવાસ તરફથી એક પત્ર – હિન્દીમાં. જુઓ આપણા કોરિયન રાજદ્વારોની તરફથી ખાસ શુભેચ્છાઓ...
*स्वतंत्रता दिवस पर कोरिया दूतावास का पत्र, हिंदी में*
— Korean Embassy India (@RokEmbIndia) August 15, 2025
Watch as our Korean Diplomats at the Embassy wish you a Happy Independence Day 🇮🇳🇰🇷#स्वतंत्रतादिवस #independenceday #independenceday🇮🇳 #independenceday2025 #koreaindiadosti #amritmahotsav #amritmahotsav🇮🇳 pic.twitter.com/rMZKGu9Z7v
ADVERTISEMENT
આ તરફ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં આવેલ ભારતીય દૂતાવાસે 79મો સ્વતંત્રતા દિવસ ઉત્સાહભેર ઉજવ્યો. ભારતીય રાજદૂત અમિત કુમારે તિરંગો ફરકાવ્યો અને ભારતના રાષ્ટ્રપતિનો સંદેશ વાંચ્યો. કાર્યક્રમ દરમિયાન ભારતીય સમુદાયના લોકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી જેનાથી ત્યાં ઉપસ્થિત લોકોને ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓનો ગૌરવ અનુભવ થયો.

ADVERTISEMENT
આ પણ વાંચો : આવતીકાલે ઉપરાષ્ટ્રપતિ પદ માટે BJPની મોટી બેઠક, NDAના ઉમેદવાર પર લાગશે મહોર
કિમ જોંગના દુશ્મન ગણાતા દક્ષિણ કોરિયાના વિદેશમંત્રીનો ભારત પ્રવાસ બન્યો ચર્ચાનું કેન્દ્ર
અહીં સૌથી મોટી અને ચર્ચાસ્પદ વાત તો એ છે કે, દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગના કટ્ટર દુશ્મન ગણાય છે. જોકે હવે દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી ચો હ્યૂનના ભારત આવવાથી અનેક રાજકીય અને રાજનૈતિક ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ મુલાકાત માત્ર દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ નથી પણ દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાની રાજનૈતિક સમીકરણોમાં પણ બદલાવના સંકેત આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.