બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'પાકિસ્તાન ઘર જેવું લાગે છે', અને સામ પિત્રોડા વિવાદમાં, જુઓ બાંગ્લાદેશને લઇ શું કહ્યું
Last Updated: 03:24 PM, 19 September 2025
Sam Pitroda Pakistan : ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા અને રાહુલ ગાંધીના નજીકના વિશ્વાસુ સેમ પિત્રોડાએ તાજેતરમાં કરેલા વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે. વાસ્તવમાં સેમ પિત્રોડાએ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ જેવા આપણા પડોશી દેશોને ઘર જેવી લાગણીઓ સાથે સાંભળીને તેમની પ્રશંસા કરી છે અને ભારતની વિદેશ નીતિમાં પડોશીઓ પર વધુ ધ્યાન આપવાની સલાહ આપી છે.
ADVERTISEMENT
જાણો શું કહ્યું સેમ પિત્રોડાએ ?
IANS સાથેની વાતચીતમાં પિત્રોડાએ જણાવ્યું કે, મને લાગે છે કે આપણા વિદેશ નીતિ કાર્યરત હોવી જોઈએ. આપણને પહેલા આપણા પડોશીઓ સાથે સારા સંબંધ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હું પાકિસ્તાન ગયો છું અને મને ત્યાં ઘર જેવું લાગ્યું. હું બાંગ્લાદેશ અને નેપાળ ગયો છું અને મને ત્યાં પણ ઘર જેવી લાગણીઓ થઇ. મને એવું નથી લાગતું કે હું વિદેશમાં છું. આ નિવેદન સેમ પિત્રોડાની પહેલાની વિવાદાસ્પદ ટિપ્પણીઓ સાથે મિશ્રિત છે, જેમ કે 1984ના શીખ રમખાણો પર આપેલી ટિપ્પણી અને બાલાકોટ હુમલાને લગતા સવાલો.
ADVERTISEMENT

નોંધનિય છે કે, પિત્રોડાએ અગાઉ 1984ના શીખ રમખાણો અંગે કહ્યું હતું કે, જે થયું, થયું, જે માટે તેમને ખાસો સામાજિક અને રાજકીય ટકરાવનો સામનો કરવો પડ્યો હતો. વધુમાં ANI અનુસાર બાલાકોટ હુમલાના મુદ્દે તેમણે શંકા વ્યક્ત કરી છે અને કહ્યું છે, શું આપણે ખરેખર હુમલો કર્યો હતો? શું ખરેખર 300 આતંકવાદીઓને માર્યા? આ ટિપ્પણીઓ પણ અનેક વિવાદોનું કારણ બની છે.
ADVERTISEMENT
Watch: Indian Overseas Congress chief Sam Pitroda says, "Our foreign policy, according to me, must first focus on our neighbourhood. Can we really substantially improve relationships with our neighbours?... I've been to Pakistan, and I must tell you, I felt at home. I've been to… pic.twitter.com/DINq138mvW
— IANS (@ians_india) September 19, 2025
પિત્રોડાએ છ વર્ષમાં છ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા
ADVERTISEMENT
સેમ પિત્રોડાએ 2019 થી છ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. કોંગ્રેસે તેમની સામે એક વખત કાર્યવાહી પણ કરી હતી, પરંતુ પિત્રોડા વિવાદાસ્પદ નિવેદનો આપવાનું ચાલુ રાખે છે.
ADVERTISEMENT
કોંગ્રેસ માટે આ નિવેદન વધુ પડકારરૂપ બની શકે છે કારણ કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) હંમેશા કોંગ્રેસને રાષ્ટ્ર વિરોધી તત્વો સાથે સંકળાવવાનો પ્રયાસ કરતી આવી રહી છે. હવે ભાજપ આ નિવેદનનો રાજકીય લાભ લેવા માટે સક્રિય છે અને સેમ પિત્રોડાના ઉલ્લેખિત નિવેદનોને લઈને કોંગ્રેસ પર વધુ દબાણ વધારશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.