બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / નક્કી કરાયેલો સામાન જ ટ્રેનમાં લઈ જઈ શકાશે, વધારાના લગેજ પર દંડ, લોકસભામાં રેલમંત્રીનું એલાન

મોટા સમાચાર / નક્કી કરાયેલો સામાન જ ટ્રેનમાં લઈ જઈ શકાશે, વધારાના લગેજ પર દંડ, લોકસભામાં રેલમંત્રીનું એલાન

Priykant Shrimali

Last Updated: 07:28 PM, 17 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Winter Session 2025 : ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા, સલામતી અને ટ્રેનમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને સામાન લઈ જવાના નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી, અહીં જાણો તમામ વિગતો

Winter Session 2025 : ભારતીય રેલવેને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સહિત દેશભરમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો રેલવેમાં મુસાફરી કરે છે. આ દરમિયાન લોકો ટ્રેનમાં પોતાનો સામાન પણ લઈ જતાં હોય છે. જોકે હવે ટ્રેનમાં વધારાના સામાનને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા, સલામતી અને ટ્રેનમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને સામાન લઈ જવાના નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે.

શું કહ્યું રેલવે મંત્રીએ ?

લોકસભામાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે, હવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ સામાન લઈ જનાર મુસાફરો પાસેથી રેલવે વધારાનો ચાર્જ વસૂલશે. આ વ્યવસ્થા ઘણા અંશે એરપોર્ટના બેગેજ નિયમો જેવી રહેશે. રેલવેના જણાવ્યા મુજબ અલગ-અલગ કોચમાં મુસાફરી કરતા મુસાફરો માટે સામાનની મર્યાદા અલગ રાખવામાં આવી છે, જેથી કોચમાં અવ્યવસ્થા ન સર્જાય અને મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે.

કોચ મુજબ સામાન લઈ જવાની કેટલી મર્યાદા ?

રેલવે દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર

  • એસી ફર્સ્ટ ક્લાસમાં મુસાફરોને 70 કિલોગ્રામ સુધીનો સામાન કોઈપણ ચાર્જ વગર લઈ જવાની મંજૂરી મળશે. જો કે, કુલ મહત્તમ મર્યાદા 150 કિલોગ્રામ નક્કી કરવામાં આવી છે.
  • એસી સેકન્ડ ટિયરમાં મફત સામાનની મર્યાદા 50 કિલોગ્રામ છે, જ્યારે મહત્તમ મર્યાદા 100 કિલોગ્રામ રહેશે.
  • એસી થર્ડ ટિયર અને ચેર કારમાં મુસાફરો 40 કિલોગ્રામ સુધીનો સામાન સાથે રાખી શકશે.
  • સ્લીપર ક્લાસમાં મુસાફરી કરતા મુસાફરો માટે મફત સામાનની મર્યાદા 40 કિલોગ્રામ અને કુલ મહત્તમ મર્યાદા 80 કિલોગ્રામ નક્કી કરાઈ છે.
  • સેકન્ડ ક્લાસના મુસાફરો 35 કિલોગ્રામ સુધીનો સામાન મફતમાં લઈ જઈ શકશે, જ્યારે વધુમાં વધુ 70 કિલોગ્રામ સુધી સામાન લઈ જવાની છૂટ રહેશે.

વધારાના સામાન પર લાગશે દંડ

આ સાથે આ નવા નિયમો મુજબ હવે જો કોઈ મુસાફર નિર્ધારિત મફત મર્યાદા કરતાં વધુ સામાન સાથે મુસાફરી કરશે તો તેને રેલવેના નિયમ મુજબ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. દરેક વર્ગ માટે નક્કી કરેલી મહત્તમ મર્યાદા કરતાં વધુ સામાન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

મોટા સમાચારઆ પણ વાંચો : 'વક્ફ ધાર્મિક ટ્રસ્ટો જેવા ગણાશે' વક્ફ પ્રોપર્ટી વિવાદ વચ્ચે ગુજરાત HCનો મોટો ચુકાદો

રેલવે મંત્રીએ જણાવ્યું કે, આ નિયમો કોઈ નવા નથી, પરંતુ હવે તેનું કડક અમલ કરવામાં આવશે, જેથી ટ્રેનમાં શિસ્ત જળવાઈ રહે અને મુસાફરોને સુરક્ષિત તથા આરામદાયક મુસાફરીનો અનુભવ મળી શકે. આ તરફ હવે જો તમે પણ રેલવેમાં મુસાફરી કરવાના હોય તો પહેલા પોતાના સામાનનું વજન ચકાસી લેવા અને નિયમોનું પાલન કરવું જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Railway Minister Ashwini Vaishnav Lok Sabha Trains
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ