બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / હજી તો ઉડાન ભરી ત્યાં જ વાયુસેનાના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, લોકોના ટોળે ટોળાં ઉમટયાં
Last Updated: 02:20 PM, 13 June 2025
Apache helicopter Emergency landing : અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના અને આજે સવારે થાઇલેન્ડમાં એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ આ બધાની વચ્ચે ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પંજાબના પઠાણકોટના નાંગલપુરમાં વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. આ લેન્ડિંગ એક ગામના ખેતરમાં થયું હતું, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આ તરફ પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે. આ ઘટના અંગે અધિકારીઓ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. જોકે આમાં કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.
ADVERTISEMENT
પંજાબના પઠાણકોટના નાંગલપુર વિસ્તારમાં વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગ બાદ હંગામો મચી ગયો હતો. જોકે રાહતની વાત એ છે કે, આ લેન્ડિંગમાં કોઈ ખતરો કે નુકસાન થયું નથી. કોઈ પણ અધિકારી આ ઇમરજન્સી લેન્ડિંગ વિશે વાત કરવા અને તેના વિશે માહિતી આપવા તૈયાર નથી. અપાચે હેલિકોપ્ટર પઠાણકોટથી ઉડાન ભરી હતી અને હેલ્ડ ગામમાં જ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
પઠાણકોટને અડીને આવેલું ગામ નાંગલપુર થાણા હેઠળ આવે છે. આજે શુક્રવારે સવારે લગભગ 11:00 વાગ્યે આ સ્થળે વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે હેલિકોપ્ટર લેન્ડ થતાં જ લોકોની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી. હેલિકોપ્ટર જમીન પર ઉતરવાથી લોકોમાં પણ ગભરાટનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT
VIDEO | Pathankot, Punjab: An Apache helicopter of the Indian Air Force (IAF) made emergency landing in Nangalpur area. More details are awaited.
— Press Trust of India (@PTI_News) June 13, 2025
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/ciTWQsST3g
નોંધનીય છે કે, 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાથી થયેલા વિનાશમાંથી લોકો હજુ સુધી બહાર આવ્યા નથી અને હવે આ ઇમરજન્સી લેન્ડિંગથી લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. નાંગલપુર પોલીસ સ્ટેશનની પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. એરફોર્સના અપાચે હેલિકોપ્ટરને કેમ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું અને તેની પાછળનું કારણ શું હતું તે હજુ સુધી બહાર આવ્યું નથી. હજુ સુધી કોઈ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી નથી.
ADVERTISEMENT

સ્થાનિક લોકોના ટોળા એકઠા થયા
ADVERTISEMENT
આ સાથે હેલિકોપ્ટર ગામના ખેતરમાં ઉતર્યું ત્યારબાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરને જોવા માટે એકઠા થયા. ઇમરજન્સી લેન્ડિંગ વિશે હજુ સુધી કંઈ સ્પષ્ટ થયું નથી અને ન તો અધિકારીઓ આ મામલે કંઈ કહેવા તૈયાર છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના સહારનપુરમાં વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એવું બહાર આવ્યું કે, કેટલાક ટેકનિકલ કારણોસર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Air Indiaના વધુ એક પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ, 156 મુસાફરોના જીવ મૂકાયા જોખમમાં
ADVERTISEMENT
થાઇલેન્ડમાં એર ઇન્ડિયાના એક વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ
અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બાદ હવે થાઇલેન્ડમાં એર ઇન્ડિયાના એક વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં બોમ્બ હોવાની જાણ થઈ હતી. વિમાનમાં 156 લોકો સવાર હતા. વિમાન થાઇલેન્ડના ફુકેતથી દિલ્હી આવી રહ્યું હતું. આ ઘટના સવારે 9:30 વાગ્યે બની હતી. ફ્લાઇટ નંબર AI-379 હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.