બ્રેકિંગ ન્યુઝ
National News: બિહારમાં હાલ ચૂંટણીનો માહોલ છે આ પછી પણ કેટલા રાજ્યોમાં સ્થાનિકથી લઈને વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. એક તરફ કોંગ્રેસના રાહુલ ગાંધી ભાજપ પર વોટ ચોરીનો આરોપ લગાવી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચ (Election Commission of India) દ્વારા ચૂંટણીઓમાં થતી ગડબડી રોકવા માટે મોટો ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT
ચૂંટણી પંચે કર્યો મહત્વનો નિર્ણય
ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા ફેરફારમાં હવે મતદાર ઓળખપત્ર (મતદાર ID) માટે આધાર અને મોબાઇલ નંબર ફરજિયાત બનાવ્યો છે. ઓનલાઈન મતદાર યાદી સેવાઓ માટે આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર ફરજિયાત બનાવવામાં આવ્યો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 'આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર વગર કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.'
ADVERTISEMENT
હવે મતદારોએ કરવું પડશે આ કામ
ચૂંટણી પંચે વધુમાં કહ્યું હતું કે, 'હવે કોઈપણ મતદાર જે પોતાનું નામ ઉમેરવા, કાઢી નાખવા અથવા સુધારવા માંગે છે તેણે તેમના આધાર નંબર સાથે જોડાયેલા મોબાઈલ નંબર આપવો પડશે.' ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'આ નિર્ણય લગભગ એક મહિના પહેલા લેવામાં આવ્યો હતો, અને IT વિભાગ તેને અમલમાં મૂકવાની તૈયારી કરી રહ્યું છે. હવે નવી સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત છે.
ADVERTISEMENT

આ કારણે લેવાયો નિર્ણય
ADVERTISEMENT
નોંધનીય છે કે, કર્ણાટકમાં મોટી માત્રામાં મતદાર યાદી કાઢી નાખવાના વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો આ નિર્ણય આવ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, 'કર્ણાટકમાં વ્યવસ્થિત રીતે મતદાર યાદી કાઢી નાખવાની પ્રક્રિયા થઈ રહી છે અને તેની પાછળ ત્રીજી શક્તિનો હાથ છે.'
વધુ વાંચો : દિલ્હીના અત્યંત VIP ગણાતા વિસ્તારમાં ધોળા દિવસે 1 કરોડ રૂપિયાની લૂંટ
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ આરોપને ચૂંટણી પંચે ફગાવ્યો હતો
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, આલેન્ડ વિધાનસભા મતવિસ્તારમાંથી 6,018 મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા. તેમણે ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવ્યા હતા. કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી વી. અંબુકુમારે રાહુલના આ આરોપોને ફગાવી દીધા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.