બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમારા બાળકોનું આધાર કાર્ડ અપડેટ નહીં કરો તો બંધ થઈ જશે! જાણો UIDAIના નિયમો
5 ફોટો ગેલેરી
Last Updated: 09:18 PM, 9 August 2025
1/5
આધાર કાર્ડ માત્ર ઓળખનો પુરાવો જ નહીં પરંતુ અનેક સરકારી યોજનાઓ અને સેવાઓ મેળવવા માટે પણ ફરજિયાત દસ્તાવેજ છે. મોટા લોકોની જેમ બાળકો માટે પણ તેનો મહત્ત્વ સમાન છે. પરંતુ ઘણા લોકો એક મહત્વની અપડેટ પ્રક્રિયા પર ધ્યાન દેતા નથી. જે આગળ જતાં મુશ્કેલી ઊભી કરી શકે છે. આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તમે નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર અથવા સત્તાવાર UIDAI વેબસાઈટ પર જઈ શકો છો.
2/5
જો તમે ઓનલાઈન અપડેટ કરાવવા ઈચ્છો છો તો uidai.gov.in પર "Update Aadhaar" વિકલ્પ પસંદ કરીને જરૂરી વિગતો સુધારી શકો છો. કેટલીક વિગતો જેવી કે મોબાઇલ નંબર અથવા બાયોમેટ્રિક માહિતી બદલવા માટે સેન્ટર પર જાતે જવું ફરજિયાત છે. અપડેટ પ્રક્રિયામાં આધાર નંબર, ઓળખ પુરાવા અને સરનામાનો પુરાવો આપવો જરૂરી રહેશે. સુધારો પૂર્ણ થયા પછી તમે UIDAI પોર્ટલ પર સ્ટેટસ ચેક કરીને નવી માહિતીની પુષ્ટિ કરી શકો છો.
3/5
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયાના નિયમ અનુસાર, જો બાળકનો આધાર 5 વર્ષની ઉંમર પહેલાં બનાવાયો હોય, તો તે 5 વર્ષનો થયા બાદ ફોટો અને બાયોમેટ્રિક વિગતો ફરજિયાત અપડેટ કરાવવી પડે છે. ત્યાર બાદ બાળક 15 વર્ષનો થયા પર ફરી એક વાર આ જ પ્રક્રિયા કરવી આવશ્યક છે.
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ