બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Narmada canal water farmer problem

ગુજરાત / સુરેન્દ્રનગર-બનાસકાંઠાની નર્મદા કેનાલમાં ગાબડું, હજારો લીટર પાણી વેડફાવાની સાથે ઉભા પાકને થયું નુકસાન

Divyesh

Last Updated: 02:16 PM, 27 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત્ જોવા મળ્યો છે. સુરેન્દ્રનગર અને બનાસકાંઠાના વાવ પંથકમાં આવેલ કેનાલમાં ગાબડું પડ્યું હતું. જો કે કેનાલમાં ગાબડુ પડતાં પાણી ખેતરમાં ઘૂસી ગયા હતા.જેને લઇને ઉભા પાકને નુકસાન થયું છે.

  • રાજ્યમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત
  • સુરેન્દ્રનગરમાં સતત બીજા દિવસે નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું
  • બનાસકાંઠાના વાવ પંથકમાં પણ કેનાલમાં ગાબડું પડ્યું

બનાસકાંઠામાં કેનાલમાં ફરી ગાબડું પડ્યું હતું. જેમાં વાવના જોડિયા ગોલમાલે માઇનોર કેનાલમાં ગાબડુ પડતાં હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. જેના કારણે 10 એક ર જમીનમાં ઘઉંના પાકને મોટા નુકસાનની ભીતિ જોવા મળી છે.

ખેડૂતોના આક્ષેપ છે કે કોન્ટ્રાકટરની બેદરાકરી અને નબળી બાંધકામના કારણે કેનાલમાં ગાબડા પડે છે. આ અંગે વારંવાર રજૂઆત છતાં તંત્ર કોઇ યોગ્ય પગલા લેતું નથી. 

સુરેન્દ્રનગરમાં સતત બીજા દિવસે નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું હતું. નાની મજેઠીથી કામલપુર ગામ તરફ જતી કેનાલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણી વેડફાયું છે. આગલા દિવસે કામલપુર ગામ તરફ જતી નર્મદાની માયનોર કેનાલમાં ગાબડુ પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. કેનાલની હલકી ગુણવત્તાની કામગીરી સામે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. 


કેનાલમાં ગાબડાંનો સિલસિલો યથાવત

  • કેમ વારંવાર કેનાલોમાં ગાબડાં પડે છે?
  • ખેડૂતોને નુકસાનનું વળતર કોણ ચૂકવશે?
  • ક્યાં સુધી ખેડૂતો વહીવટી તંત્રના ભોગે નુકસાન વેઠતા રહેશે?
  • કેનાલની નબળી-ગુણવત્તા માટે કોણ છે જવાબદાર?
  • શું કેનાલની મરામત કરાવાની જવાબદારી નથી બનતી?

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha Narmada canal surendranagar કેનાલ ગાબડુ નર્મદા બનાસકાંઠા સુરેન્દ્રનગર Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ